________________
૧૯૯
[૯.૨] રૂપી-અરૂપી
દાદાશ્રી : જાણી શકે, દેખે નહીં. પ્રશ્નકર્તા ઃ હા, જાણી શકે.
દાદાશ્રી : દેખવું એટલે પોતપોતાની ભાષામાં સમજે છે. એટલે આંખે જેવું દેખાય એવું આમ સ્થળ.
પ્રશ્નકર્તા: પેલું તો દેખી શકેને, કોઝલ બૉડી ? દાદાશ્રી : હા, એ બધું દેખાય. પ્રશ્નકર્તા ઃ આત્મા જાણી શકે અને કોઝલ બૉડી એ બધું દેખાય.
દાદાશ્રી: દેખી શકે, કારણ કે કોઝલ બૉડી રૂપી છે. રૂપી હોય એ દેખાય, અરૂપી ના દેખાય.
સિદ્ધશિલામાં ન રૂપી પદાર્થ કોઈ પ્રશ્નકર્તા : મોક્ષમાં જે આત્માઓ હોય, ત્યાં બધા આત્માઓ એકસરખા લેવલમાં જ હોય ?
દાદાશ્રી એમાં ફેરફાર નહીં, એ તો દેહધારી જ ના હોયને ! એ તો અરૂપી હોય બધા.
પ્રશ્નકર્તા જે મોક્ષનું સ્થળ કીધું છે ત્યાં કશું રૂપી ખરું?
દાદાશ્રી : ના, અરૂપી. અરૂપીનો જ માલ અને અરૂપી જ વેપાર બધો. ત્યાં રૂપી-બુપી કશું છે જ નહીં. રૂપી હોત તો ફરી આત્મા ફસાત. ત્યાં રૂપી જેવી વસ્તુ જ નથી.
પ્રશ્નકર્તા ઃ એ સિદ્ધશિલા ક્ષેત્ર એ રૂપી ખરું ? જેમ કે આ હિન્દુસ્તાન એવું, ત્યાં સિદ્ધશિલા જે કહે છે ?
દાદાશ્રી : સિદ્ધશિલા એ રૂપી એનું કારણ શું કે અહીંથી છેટેથી જોઈ શકે આ તીર્થકરો. પણ એ ક્ષેત્ર આકાશ, પોતે રૂપી નથી. જોનાર હોય તેને માટે સિદ્ધશિલા રૂપી છે. પણ સિદ્ધ પોતે રૂપી નથી એટલે બીજા કોઈ રૂપી પદાર્થ જ નથી ત્યાં આગળ. રૂપી પદાર્થ હોત તો પાછા આત્માની જોડે