________________
૨૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
અનુભવ થાય. પછી એ આખી જિંદગી ના ભૂલે. તે આ વિનાશીનો અનુભવ આખી જિંદગી ભૂલાતો નથી, તો પેલો તો કેવળજ્ઞાનનો અનુભવ.
પ્રશ્નકર્તા: એ આત્માના એક-એક પર્યાયનો અનુભવ કહેવાય ?
દાદાશ્રી : હા, એક-એક પ્રદેશનો, દરેકે દરેક પ્રદેશનો. અનંત પ્રદેશી આત્મા. દરેક પ્રદેશનો અનુભવ, એટલે વિજ્ઞાનઘન. તમે એમાં પેઠા એટલે તમને એ જ થવાનું, બીજું કશું થવાનું નહીં. એમ અનુભવ થતું થતું થતું જ્યારે આ બધો માલ નીકળી જશે ત્યારે.
પ્રશ્નકર્તા: એટલે પેલો એક-એક પ્રદેશનો અનુભવ થતો જશે ? દાદાશ્રી : હા, થતો જશે.
વિજ્ઞાનuત, એબ્સોલ્યુટ ફાતમાત્ર પ્રશ્નકર્તા : પોતાનું વિજ્ઞાનઘન સ્વરૂપ જે કહીએ છીએ, તો ઘન શબ્દ દ્વારા એક્ઝક્ટ શું કહેવા માગો છો ?
દાદાશ્રી : હા, એ તો આપણે પેલા એની પાછળ નહીં લગાડતા, ચક્કરની પાછળ ?
પ્રશ્નકર્તા ઃ ઘનચક્કર !
દાદાશ્રી : હં, એવું આ ક્યુબ કહેવાય, વિજ્ઞાન ક્યૂબ ! પેલું ચક્કર ક્યુબ કહ્યું.
પ્રશ્નકર્તા ઃ આમ જરા વધારે પડતું, સોલિડ વિજ્ઞાન કહેવાય. દાદાશ્રી : સોલિડ વિજ્ઞાન.
પ્રશ્નકર્તા: ચક્કર તો હતો જ પણ ઘનચક્કર કહ્યો, એટલે વધારે ચક્કર, એ રીતે વિજ્ઞાન કહ્યું, વિજ્ઞાન તો છે જ, પણ વિજ્ઞાનઘન કહ્યું.
દાદાશ્રી : ઘનચક્કર એટલે અંગ્રેજીમાં ક્યુબ ચક્કર. સ્થૂબ એટલે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ, એવું આ વિજ્ઞાનઘન. એટલે આમાં બીજું કંઈ