________________ (7.3) દશા - જ્ઞાની પુરુષ, દાદા ભગવાન અને કેવળજ્ઞાનીની 383 પ્રશ્નકર્તા H એમાં ત્યાં પ્રજ્ઞાની કંઈ વાત નથી ? દાદાશ્રી : પ્રજ્ઞા ભેગી થઈ જાય ત્યારે કેવળજ્ઞાન થાય, નહીં તો થાય નહીં. પ્રજ્ઞા ભાવને આત્માનો સ્વભાવ ના કહેવાય. પ્રજ્ઞા ભાવ અચંચળ ભાગમાં આવે. પ્રજ્ઞાનું કાર્ય કેવળજ્ઞાન થતાં જ પૂરું થાય છે. માટે તેને આત્મસ્વભાવ ના જ કહી શકાય. કારણ તેમ જ કહેવામાં આવે તો તે તેનો અન્વય ગુણ ગણાય અને અન્વય ગુણ કહીએ તો સિદ્ધક્ષેત્રમાં બિરાજેલા સિદ્ધ ભગવંતોને પણ પ્રજ્ઞા હોય, પણ તેમ નથી હોતું. કારણ ત્યાં તેનું કંઈ જ કાર્ય હોતું નથી. ફુલ્લી ઈન્ડિપેન્ડન્ટ ગવર્મેન્ટનું સ્થાપન થયા પછી ઈન્દ્રિમ ગવર્મેન્ટ એની મેળે જ ખલાસ થઈ જાય છે, તેવું જ પ્રજ્ઞાનું પણ છે. વર્તે જોતારો, શેય અને જ્ઞાયકરૂપે પ્રશ્નકર્તા: દાદા આપે જે કહ્યું ને કે મેં આત્મા જોયો છે એ જોનારો કોણ ? દાદાશ્રી : જોયો કહેનારો “પોતે' જોનારો પણ છે, “પોતે જ્ઞાતાય છે. જ્ઞાયકેય છે અને શેયે છે, બને છે. પ્રશ્નકર્તા પોતે શેય પણ છે ? દાદાશ્રી : જોય છે અને જ્ઞાયકેય છે, બન્ને રીતે છે. જ્યારે જ્ઞાયક રીતે થાય ત્યારે નિરાલંબ હોય, વર્લ્ડનું કોઈ પણ અવલંબન નહીં. એટલે અમને બહુ જ ખરાબ પોઝિશન (સ્થિતિ) આવી પડે તો અમે જ્ઞાયક જ થઈ જઈએ. પ્રશ્નકર્તા H તમે જ્ઞાયક થઈ જાવ એટલે શું ? કેવી રીતે થાય ? દાદાશ્રી : એટલે મૂળ જે સ્વરૂપ જોયું છે, જે આત્મા જોયો, તે રૂપ જ થઈ જઈએ. અને એ ખરાબ પોઝિશન જાય એટલે જ્યારે તે રૂપ ના થઈએ ત્યારે આ શેયરૂપ જ્ઞાની પદે હોઈએ. જ્યારે તમે શું થાય ?