________________ (7.3) દશા - જ્ઞાની પુરુષ, દાદા ભગવાન અને કેવળજ્ઞાનીની 363 તો નાપાસ થયેલાને શેમાં મૂકવો ? પરીક્ષામાં પાસ થઈ જાય તેને અરિહંતમાં મૂકવો અને નાપાસ થયા એને શામાં મૂકવો ? પ્રશ્નકર્તા તો એ પાછા આચાર્યમાં નથી આવતા ? વચ્ચેમાં રહે - ભગવાન દાદાશ્રી : ના, આચાર્યમાં શી રીતે આવે ? પ્રશ્નકર્તા: આ તો દાદા, ત્રિશંકુ જેવી સ્થિતિ થઈ. દાદાશ્રી : ના, ત્રિશંકુ આમાં લેવાદેવા નહીં, આ પોતે જ ભગવાન છે પણ એ નાપાસ થયેલા ભગવાન છે, બસ એટલું જ. અત્યારે તો ચાર ડિગ્રીએ નાપાસ થયો હું, એટલે આ તમારે કામ લાગ્યો, આ બધા લોકોને. ફેલ ના થયો હોત, પાસ થયો હોત તો મોક્ષ ઊડી જાત. પ્રશ્નકર્તા: પછી નાપાસ કેમ થયા ? દાદાશ્રી : કંઈ ભૂલ થઈ હશે તેથી જ તો ને ! ભૂલ વગર તો કંઈ નાપાસ કરાય નહીં ને ! પ્રશ્નકર્તા: કેવી ભૂલ થઈ ? કઈ જાતની ભૂલ ? દાદાશ્રી : ભૂલ અહંકારની થઈ હશે કંઈક. મહીં હુંપણું આવી ગયું હશે. જ છું, હું છું, હું છું.' એ ભૂલને લઈને નાપાસ થઈ ગયા. હવે એ અહંકાર કાઢી નાખવો પડશે, તે કાઢી નાખ્યો બધો. હવે ચોખ્ખું કરી નાખ્યું. પ્રશ્નકર્તા H તો હવે તો કેવળજ્ઞાન થઈ જવું જોઈએને ? દાદાશ્રી : હવે ચોખ્ખું થયું પણ અત્યારે ના થાય. અત્યારે આ કાળ જ નથી ને, તે દહાડે કાળ હતો. પચ્ચીસો વર્ષ પહેલા ત્યારે કાળ હતો. અત્યારે એ કાળ નથી. ત્યારે મારે ઉતાવળેય નથી. હું તો નિરંતર મોક્ષમાં જ રહું છું.