________________ 256 આપ્તવાણી-૧૪ (ભાગ-૩) પુસ્તક ને જ્ઞાન પેસી ગયા છે. નહીં તો આપણે અહીં તો અંતર સૂઝને આધારે જ ચાલતા. અત્યારે આ ફોરેનનું પેઠું, તેથી યંત્રો બધું બનાવવા માંડ્યા એ કુશ્રુત અને કુમતિથી. આપણું અંતરજ્ઞાન અને અંતરસૂઝ અને ફોરેનવાળાને બાહ્યજ્ઞાન અને બાહ્ય સૂઝ. સૂઝ એટલે અંતર સૂઝ, જે ફોરેનના લોકોને કોઈ દહાડોય ના હોય. એ લોકોને બાહ્યજ્ઞાન અને બાહ્ય સૂઝ હોય. એ કુમતિ, કુશ્રુત અને કુઅવધિ સુધી પહોંચે છે. કુઅવધિ એટલે કંઈપણ સાધન સિવાય શું બનશે તે તેને દેખાતું હોય. કોઈથી ડિપ્રેસ ના થાય તે કુઅવધિ જ્ઞાન. કુમતિ ને કુઅવધિ એ બધું કપટ-લોભ-માન ને અહંકાર વધારનારા છે. અત્યારે લોકોને આ જે બુદ્ધિ છે ને, એ મતિજ્ઞાન કહેવાય નહીં. આ કુમતિ કહેવાય છે. આત્મા સંબંધી વાંચ્યું હોત ને, તે એનું નામ મતિજ્ઞાન કહેવાય. એ સુશ્રુત કહેવાય અને આ કુશ્રુત કહેવાય. આ બધું જ, પુસ્તકો બુસ્તકો બધા કુશ્રુત. તેનાથી કુમતિ ઉત્પન્ન થાય અને વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થાય. પ્રશ્નકર્તા : વિર્ભાગજ્ઞાન કોને કહેવાય ? દાદાશ્રી : હા, આ વિભંગજ્ઞાન છે તે, આ જે કુમતિ કહે છે ને, તે શેનાથી ઉત્પન્ન થાય ? કુશ્રુત. કુશ્રુત છે કે જે સંસારને ખીલાયમાન કરે (ખીલવે) એવું વાંચન, એવું શ્રવણ, સંસાર પુષ્ટ કરે, એનું નામ કુશ્રુત કહેવાય. એ કુશ્રુત હોય ત્યાં સુધી સુશ્રુતનો અંશ ના આવે. હવે અત્યારે તો આપણે પુસ્તકો જે વાંચીએ છીએ બધા, જેટલા પુસ્તકો, સ્કૂલમાં બધે ભણ્યાને, તે ભણીએ એ બધા કુશ્રુત છે. તે આ બધા પુસ્તક વાંચે છે ને આખું વર્લ્ડ, એ બધું કુશ્રુત છે. જેમાં આત્માની વાત ના આવે એ બધું કુશ્રુત કહેવાય છે. કુશ્રુતનું ફળ શું? કુશ્રુતનું ફળ કુજ્ઞાન કહેવાય, વિપરીત જ્ઞાન. અને વિપરીત જ્ઞાનનું ફળ શું ? ત્યારે કહે,