________________
જાય અને સરવૈયું કાઢશો તો માલમ પડશે કે સરવાળે નફો જ થયો છે. આ સત્સંગ તે કંઇ જેવો તેવો સત્સંગ છે ? કેવળ આત્મા માટે જ જે વખત કાઢે એને સંસારમાં ક્યાંથી ખોટ જાય ? નર્યો નફો જ થાય. પણ આવું સમજાય તો કામ નીકળે ને ? આ સત્સંગમાં બેઠો એટલે એમ ને એમ ફેરો નકામો ના જાય. આ તો કેવો સુંદર કાળ આવ્યો છે ! ભગવાનના વખતમાં સત્સંગમાં જવું હોય તો ચાલતાં ચાલતાં જવું પડતું હતું ! અને આજે તો બસ કે ટ્રેનમાં બેઠા કે તરત જ સત્સંગમાં આવી શકાય !! પ્રત્યક્ષ સત્સંગ એ સર્વશ્રેષ્ઠ
અહીં બેઠા એટલે કંઈ ન કરો તોય મહીં ફેરફાર થયા જ કરે. કારણ કે સત્સંગ છે. સત્ એટલે આત્મા, એનો સંગ ! આ પ્રગટ થયેલું સત્, તે
તેના સંગમાં બેઠા એ છેલ્લામાં છેલ્લો સત્સંગ કહેવાય.
સત્સંગમાં પડી રહેવાથી એ બધું ખાલી થઈ જશે. કારણ કે જોડે રહેવાથી, અમને (જ્ઞાનીને) જોવાથી અમારી ડિરેક્ટ (સીધી) શક્તિઓ પ્રાપ્ત થાય, એટલે જાગૃતિ એકદમ વધી જાય ! સત્સંગમાં રહેવાય એવું કરવું જોઇએ. ‘આ’ સત્સંગનો ભીડો રહ્યો એટલે કામ થઇ ગયું.
કામ કાઢી લેવાનું એટલે શું ? જેટલું બને તેટલું દર્શન વધારે કરવા. જેટલું બને એટલું સત્સંગમાં રૂબરૂનો લાભ લેવો, હાજરીનો સત્સંગ. ના બને તેનો ખેદ કરવો છેવટે ! જ્ઞાની પુરુષના દર્શન ક૨વા અને એમની પાસે, સંગમાં બેસી રહેવું.
૧૪. દાદાના પુસ્તકો, મેગેઝીન વાંચનનું મહત્વ આપ્તવાણી, કેવી ક્રિયાકારી !
આ ‘જ્ઞાની પુરુષ’ની વાણી છે ને પાછી તાજી છે. હમણાનાં પર્યાય છે એટલે એ વાંચતાં જ આપણા બધા પર્યાયો બદલાતા જાય તેમ આનંદ ઉત્પન્ન થતો જાય. કારણ કે આ વીતરાગી વાણી છે. રાગ-દ્વેષરહિત વાણી હોય તો કામ થાય, નહીં તો કામ થાય નહીં. ભગવાનની વાણી વીતરાગ
૨૮