SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ત્રીજું તેઓ તીર્થકર ભગવંતે સ્થાપેલા ચતુર્વિધ સંઘને જ એક ભાગ છે. પ્રશ્ન : સ્વાધ્યાય કેને કહેવાય? ઉત્તર: સ્વાધ્યાય શબ્દમાં ત્રણ પદ , હુ+મા+ગયા. તેમાં સુ પદ સુન્દુ કે શેભનને અર્થ (સાર) દર્શાવે છે. આ પદ અભિવ્યાપ્તિ કે વિધિને અર્થ દર્શાવે છે અને અધ્યાય પદ અધ્યયનને અર્થ દર્શાવે છે. એટલે સારી રીતે વિધિપૂર્વક અધ્યયન કરવું તેને સ્વાધ્યાય કહેવાય. અથવા જે સારી રીતે વિધિ-પૂર્વક અધ્યયન કરવા ગ્ય છે, તેને પણ સ્વાધ્યાય જ કહેવાય. અને સ્વાધ્યાય શબ્દને 2 અને 3 થાય એવા બે પદોથી બનેલું માનીએ તે આત્મા સંબંધી જે અધ્યયન તે સ્વાધ્યાય-એવો અર્થ પણ નીકળી શકે. ઉપાધ્યાય શ્રીયશોવિજજીએ શ્રી હરિભદ્રસૂરિસ્કૃત ડકની ગ–કીપિકા વૃત્તિમાં પહેલે અને ત્રીજો અર્થ કરેલ છે. પ્રશ્ન : શ્રી ઔપપાતિક સૂત્રમાં સ્વાધ્યાયને પાંચ પ્રકારને અર્થાત્ પાંચ અંગવાળો કહ્યો છે. અને આવશ્યક-નિર્યુક્તિમાં ઉપાધ્યાયને પરિચય કરાવતા સ્વાધ્યાયને બાર અંગવાળો કહ્યો છે તેનું કેમ? ઉત્તર : શ્રી ઔપપાતિક સૂત્રમાં સ્વાધ્યાય શબ્દ પહેલા અર્થમાં વપરાયેલે છે, એટલે સ્વાધ્યાય કરવાની રીત પાંચ પ્રકારની છે, એમ સમજવાનું છે, અને આવશ્યક–નિર્યુક્તિમાં સ્વાધ્યાય શબ્દ બીજા અર્થમાં વપરાયેલે છે, એટલે સ્વાધ્યાય કરવા ગ્ય શાસ્ત્રો બાર અંગમાં વિભક્ત થયેલાં છે, એમ સમજવાનું છે. આ બાર અંગેને અર્ધમાગધી ભાષામાં સુવાસંઘ' અને સંસ્કૃત ભાષામાં “તારા " કે " શી” કહેવામાં આવે છે. પ્રશ્ન : દ્વાદશાંગીની રચના ગણધર કેવી રીતે કરે છે ? ઉત્તર : ગણધર તીર્થ–સ્થાપના વખતે શ્રી તીર્થકર ભગવંતને પ્રદક્ષિણા દઈને નમસ્કાર કરીને પૂછે છે કે “હે ભગવંત! તત્વ શું છે? તે કહે.” ત્યારે ભગવંત કહે છે કે- gવપને વા-વસ્તુ ઉત્પન્ન થાય છે.' ફરી ગણધરો પ્રદક્ષિણા દઈને નમસ્કાર કરીને એ જ પ્રશ્ન પૂછે છે, ત્યારે ભગવંત કહે છે કે " મેરૂ વા-વસ્તુ નાશ પામે છે,” તેમજ ત્રીજીવાર ગણધરે પ્રદક્ષિણ દઈને નમસ્કાર કરીને એ જ પ્રશ્ન પૂછે છે, ત્યારે કહે છે કે ધુ વા” તેમ છતાં વસ્તુ સ્થિર રહે છે.” આ પ્રમાણે પ્રણામ કરીને પૂછવું તે નિષદ્યા કહેવાય છે. આ ત્રણ નિષદ્યાથી ગણધર ભગવંતેને એવો નિશ્ચય થાય છે કે “સર્વ–વસ્તુઓ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય યુક્ત છે. આ પછી ગણધર ભગવંતે બીજબુદ્ધિ નામની વિશિષ્ટ થતાં તેની દ્વાદશાંગી રૂપે રચના કરે છે. પ્રશ્ન : દ્વાદશાંગીમાં કયા સૂત્રે રચાય છે ? ઉત્તર : દ્વાદશાંગીમાં નીચેના બાર સૂત્રો રચાય છે: મણા વંવિઘે ૧૦ળા, તે જહા-પાળા, વણિપુરા, પરિદૃણા, , ધમા
SR No.023548
Book TitleNamaskar Swadhyay Part 03
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy