SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ 12 ] નમસ્કાર અર્થસંગતિ લેરી છ મહિને એક જ વાર વાગતી અને તેને અવાજ બહુ દૂર સુધી સંભળાતે. આ લેરીના અવાજથી છ મહિનામાં થયેલા રોગ દૂર થતા. અને ભવિષ્યમાં છ માસ સુધી નવા રોગે થતા નહિ. એક વાર દાહવરથી પીડાતા કેઈક વણિક એ ભેરીને અવાજ સાંભળવા માટે આવ્યું. પણ રસ્તામાં વિલંબ થઈ જવાથી ધારેલા સમયે પહોંચી શક્યો નહિ. એથી તે ભેરીના રક્ષણ કરનારને કહેવા લાગ્યું કે “ભાઈ ! જે તું મને આ ભેરીમાંથી ચંદનને એક ટુકડે આપે તે મેં માગ્યું ધન આપું.” આથી ભેરીના કે તેને ભેરીને એક ટુકડે આપે અને બીજા કાણથી તેટલે ભાગ પૂરી નાખે. એ પ્રમાણે ભેરીને રક્ષકે બીજાને પણ કેટલાક ટુકડા આપ્યા. હવે જ્યારે તે ભેરી છ મહિને વગાડવામાં આવી ત્યારે તેને અવાજ થેડે દૂર સુધી જ સંભળા. અને તેથી કેઈન રોગ મટ્યા નહિ. આ બાબતમાં તપાસ કરવામાં આવી. ત્યારે જણાયું કે ભેરી રક્ષકે આખી ભેરીને સાંધીને નકામી કરી નાખી છે. આથી તે રક્ષકને કાઢી મૂક્યો. અને શ્રી કૃષ્ણ અઠ્ઠમ તપ કરી ફરી તે દેવને આરા. દેવે આવીને પુનઃ તેવી જ ભેરી આપી. પછી તે ભેરીનું રક્ષણ કરનાર બીજે સારે પ્રામાણિક માણસ રાખે.” તે એનું યત્નથી રક્ષણ કરવા લાગ્યું. તેથી શ્રીકૃષ્ણને પણ તે ભેરીને એગ્ય લાભ મળે. આ રીતે જેઓ સૂત્રને એક ભાગ ભૂલી જાય છે ને તેમાં બીજાનાં બનાવેલાં સૂત્રેને ભાગ ઉમેરતા જાય છે, તેઓ છેવટે એ સૂત્રનું સંપૂર્ણ સ્વરૂપ બગાડી નાખે છે અને તેવાં સૂવમાંથી ભળતા જ અર્થો નીકળે છે. પરિપૂર્ણ બે પ્રકારનું છે. સૂત્રથી પરિપૂર્ણ અને અર્થથી પરિપૂર્ણ. તેમાં અંદના માત્રાદિ નિયતમાનપૂર્વક બોલવું તે સૂવ-પરિપૂર્ણ અને તૂ તા આદિને અધ્યાહાર ન કરતાં મૂળ અર્થ સચવાઈ રહે તે રીતે બેલવું. તે અર્થ-પરિપૂર્ણ. ઉદાત્ત, અનુદાત્ત કે સ્વરિત સ્થાન પ્રયત્નનાં જ્ઞાનપૂર્વક ઉચ્ચારણ થાય તે પરિપૂર્ણ ઘોષ કે શેષયુક્ત. કંઠ, એક વગેરે સ્થાનેથી ઉચ્ચાર બરાબર કરે તે કઠેષ્ઠવિપ્રમુક્ત અને ગુરુદ્વારા મળેલી વાચના અનુસાર બોલવું તે “ગુરુવારાને પગત’.x આ નિયમને અનુસરવામાં આવે તે પાઠ બોલવાની પદ્ધતિ એક જ પ્રકારની રહે અને જ્યારે પણ સમુદાય એકઠા થયા હોય ત્યારે બધા એકી સાથે સમાન ઉચારથી બોલી શકે, પરંતુ જૈનસંઘમાં ઉચ્ચારણની આ પદ્ધતિ જળવાઈ રહી નથી એ હકીક્ત છે અને તેથી તમારકાર-મંત્રને ઉચ્ચાર જે શાસ્ત્રીય પદ્ધતિએ થ જોઈએ તે ભાગ્યે જ જોવામાં આવે છે. આજે ભારતવર્ષમાં એક પણ જૈન–પાઠશાળા એવી નથી કે જ્યાં શાસ્ત્રના આ નિયમને આધીન સૂત્રનું સંહિતાદિ-પૂર્વક જ્ઞાન અપાતું હોય. આ પરિસ્થિતિ ક્યાં સુધી ચાલશે? + અનુગારસૂત્ર દ્વાર ૧૩ના આધારે.
SR No.023548
Book TitleNamaskar Swadhyay Part 03
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy