________________ આ સારભૂત નવકારમંત્રને તજીને જે બીજા મંત્રને સ્વતંત્ર રીતે (નવકાર મત્રને સાધ્યા વિના ) સેવે છે તેનાં કમ તેને પ્રતિકૂલ છે.) અને તે પોતાની કુટેવથી કલ્પવૃક્ષને તજીને બાવળને સેવે છે, એમ જાણવું. પ્રથમ આ નવકારની સેવા કરે અને પછી અન્ય મંત્ર સેવે અથવા નવકારમાં રહેલા મંત્રબીવડે અન્ય મંત્રને વાસિત કરીને તે મંત્ર સેવે તો તે પણ ફળે છે. એમાં પ્રભાવ તે નવકારને જ જાણ, જેમ અમૃતસમુદ્રને સ્પર્શને આવેલ પવન પણ વિષના વિકાર હૂર કરે છે. એ પ્રભાવે તે અમૃતનો જ છે, પવનને જરા પણ નહીં. નવકારમંત્રને તજીને સેવેલા અન્ય મંત્ર નિબજ અને જુઠા છે. તે નથી ફળતા એટલું નહીં પણ સાધકને નુકસાન કરે છે, જ્યારે નવકારમંત્રને જે સાધે છે તે પોતાના આ લેક અને પરલોકને સફળ -પૃષ્ઠ 86 ite