________________ આદાનવાન” = રત્નત્રયીવાળ આ ઉપદેશ દેવા પૂર્વે સાધુ “આદાનયાન” બનેલ છે. આદાન” એટલે મેક્ષનું આદાન અર્થાત્ ગ્રહણ, મેક્ષપ્રાપ્તિ જેનાથી થાય છે તે સમ્યગદર્શન સમ્યજ્ઞાન અને સમ્યકુચારિત્રને “આદાન” કહેવાય. આ ત્રણવાળા મુનિ હોય. આમાં સમ્યગ્દર્શન આદિ કેવુંક હોય એ ટીકાકાર સુંદર બતાવે છે. મુનિનું સમ્યગ્દર્શન કેવું ? : મુનિ સમ્યગ્દર્શન યાને સમ્યકત્વ એવું દઢ ધરે કે જિનેન્દ્રદેવનાં શાસનને અને જિનશાસનમાં કહેલી વસ્તુઓને સર્વેસર્વા માને. જિનશાસને શું શું કહ્યું છે ? (1) જીવ-અછવાદિ તત્ત્વ (2) સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર–તપને મોક્ષમાર્ગ (3) સમ્યક્ત્વ-દેશવિરતિ–સર્વવિરતિના વ્રત–નિયમઆચારે; (4) દાન–શીલ-તપ-ભાવનારૂપ ધર્મ, (5) કલ્યાણક પર્વ, 12 પર્વ, ચોમાસી પર્વ પર્યુષણા પર્વ વગેરે પર્વો ને એનાં કૃત્ય (6) અષ્ટપ્રકારી આદિ પૂજ, જિનેન્દ્રભકિત-સહત્સવ, તીર્થયાત્રા....વગેરે દ્રવ્ય-પૂજા, અને નાસા