SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ 219 અરિહંતાણું” બહુવચન છે, તેથી મનની સામે અનંત અરિહંત આવે. અહીં “અરિહંત”એટલે અષ્ટ પ્રાતિહાર્યની શેભાને યોગ્ય માટે એ અનંત અરિહંત અષ્ટ પ્રતિહાર્ય સાથે કાં તો દિવસના પડાવમાં અથવા સમવસરણ પર દેખાય કે જ્યાં પ્રભુ સિંહાસન–ચામર–ભામંડલ-છત્ર વગેરે આઠ પ્રાતિહાર્યથી શુભતા છે. પ્રશ્ન થાય, પ્રવે-એકજ પદ બેલતાં આટલું બધું સાચવવામાં તે કેટલે બધે સમય લાગે? ઉ– સમય લાગે એમ જે કહે છે તે એટલા માટે, કે આજ સુધી એની પ્રેક્ટિસ નથી કરી એટલે એમ લાગે, છે. પણ અવકાશે અવકાશે આનો અભ્યાસ કરતા રહો, તો. સ્વીચ દાબે ને જેમ ઝટ લાઈટ થાય, એમ “નમે અરિ-- હંતાણું” બોલતાં જ નજર સામે અનંત સમવસરણ પર અનંત અરિહંત દેખાય. એ જોવાને મહાવરે કરે, તો. પછી સારે મહાવરે થતાં એ પદ બેલતાં મનથી સહેજે અનંત સમવસરણ અને અનંત અરિહંત દેખાઈ જશે. પછી તે કાયિક નમન માટે કલ્પનાથી આપણું મસ્તક એમને નમતું દેખાશે, અને વાણીથી ઉચ્ચારણ તો કરીએ જ છીએ. સાથે આપણે નમીએ છીએ, તે આપણી જાતને પ્રભુથી તદ્દન અધમ આત્મા સમજીને નમીએ છીએ.” –એ મન પર લાવવાનું. આ થાય ત્યારે મન-વચન-કાયા એ ત્રિકરણથી નમસ્કાર થયો કહેવાય. પછી “નમો સિદ્ધાણં” નમો આયરિયાણં'..... વગેરે ચાર પરમેષ્ઠીમાં બધે જ આ પ્રમાણે કરવાનું. (2) સિદ્ધશિલા
SR No.023539
Book TitleManna Minarethi Muktina Kinare Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy