SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ 139 ક્ષત્રિઓ હાથમાંથી, વૈશ્ય સાથળમાંથી, ને શુદ્ધ પગમાંથી, જન્મેલા છે,” એમ કહી બ્રાહ્મણને જે શ્રેષ્ઠ કહેવામાં આવે. છે, ત્યાં પ્રશ્ન થાય કે તે પછી, (1) પહેલી વાત તો એ છે કે વર્તમાનમાં બ્રાહ્મણ કેમ. એ રીતે જનમતાં નથી ? (2) બીજી વાત એ છે કે જેવાં ડાળ–શાખા–પત્ર-પુષ્પ . વગેરે એક ઝાડનાં સર્જન છે, તો એમાં એક ઉત્તમ, બીજે . અધમ, એમ નથી–કહેવાતું તેમ એકજ બ્રહ્માના સર્જનમાં, એક ઉત્તમ, બીજો અધમ શી રીતે કહેવાય? વાસ્તવમાં તે શ્રેષ્ઠતા તે તેવા દયાદિ શ્રેષ્ઠ કર્મથી આવે છે, નહિ કે બ્રહ્માના મુખમાંથી જનમવાના હિસાબે. એના બદલે જાતિમાત્રથી શ્રેષ્ઠતા માનવી, પછી ભલે હિંસા-દુરાચારાદિ અધમ કમી કરતો હોય, એવું માનવું એ તે યુક્તિવિરુદ્ધ છે; ને “અમે જાતિથી ઊંચા એ મદ કરે, એ ખોટું અભિમાન છે. જાતિ કાંઈ નિત્ય નથી. વેદશાસ્ત્ર જ કહે છે કે જાતિ બદલાઈ જાય છે. “પુરુષને મરતાં ઝાડો થઈ ગયા પછી ભલે એ બ્રાહ્મણ હોય પણ જે. એને મર્યા પછી એ ઝાડા સાથે બાળવામાં આવે તો એ શિયાળ થાય છે. આ વેદ સૂત્ર છે, - કૃપા વૈ પણ રાતે જ પુરષો રાતે !' એમ આ પણ કહ્યું છે, કચન ક્રિીમતિ ગ્રાહ્યઃ ક્ષયિ', અર્થાત્ બ્રાહ્મણ પણ જે દૂધ વેચે તે ત્રણ દિવસમાં શુદ્ર બની જાય છે. તો હિંસાદિ અસત્ કર્મથી પરલોકમાં તો સુતરામ જાતિભ્રષ્ટ. થાય, એમાં નવાઈ નથી. તમારા જ શાસ્ત્રમાં કહ્યું છે
SR No.023539
Book TitleManna Minarethi Muktina Kinare Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy