SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ આમ બેલવામાં ગુણ છે, અને વિપરીત બેલવામાં દોષી છે.” વળી પ્રભુ બધું પ્રત્યક્ષ દેખે છે તેથી જીવેના સાચા. હિતને ને હિતના સાચા માર્ગને જુએ છે, જાણે છે, એટલે ગુણ–દેષને વિવેકને જાણવા પૂર્વક જીવના હિત માટે ઉપદેશ દે, એમાં ભાષા–સંયમ જ છે.” પતી ગયું, હવે આમાં ગોશાળકને દલીલ કરવાની. જગ જ ન રહી ! ત્યારે ગોશાળક કહે - ભલે ઉપદેશમાં ભાષા–સંયમ રહ્યો, પરંતુ ઉપદેશ. માટે હજારે મનુષ્ય અને દેના પરિવાર વચ્ચે રહે છે.. તે વર્ધમાનનું એકાકીપણું ક્યાં રહ્યું ?" મહાત્મા આદ્રકુમાર કહે - તમને શું પહેલાં ન કહ્યું કે, ભગવાને કઠેર સાધના કરીને શાશ્વત વીતરાગદશા પ્રાપ્ત કરી છે; એટલે પછી જેમ કમળ કાદવમાં ઊગ્યું અને પાણીથી વધ્યું, છતાં કાદવપાણુ બંનેથી અલિપ્ત રહે છે, તેમ ભગવાન પણ વીતરાગ. હાઈ આટલા પરિવારની વચ્ચે પણ અલિપ્ત જ રહે છે. એમને નથી તે કેઈનું મમત્વ, કે નથી તે કશાની આશંસા એટલા બધા એ નિર્લેપ હોવાથી એકાકીપણાનું જ અખંડ પાલન કરી રહ્યા છે.” ગશાળ કહે - પણ આ મોટા પરિવાર સાથે રહેવામાં એકાકીપણું
SR No.023539
Book TitleManna Minarethi Muktina Kinare Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy