SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ 188 આશય નથી અને માત્ર કુલાચારથી ધર્મ કરતા આવ્યા છે એમને બાદ કરવાના હોય, ભડકાવવાના હોય કે “મેક્ષના આશય વિના તમે ધર્મ કરીને દુર્ગતિનાં પાપ બાંધી રહ્યા છે, અને એમ ભડકેલા કદાચ, કુળાચારથી ધર્મ કરતા હોય તે ય છોડી દે, તે શુદ્ધ મેક્ષના આશયથી ધર્મ કિયા ધર્મ આચાર પાળનારા કેટલા દેખાશે ? શું પૂર્વે એવી બાદબાકીઓ થઈ હતી અને એમ ધર્મના આચારપાળવાના બંધ થઈ ગયા હતા, તે આજે જૈનધર્મનું અસ્તિત્વ જોવા મળત? આશય-શુદ્ધિની વાત પછી, પરંતુ જ્યાં હવે ધર્મક્રિયા અને ધર્મના આચારે પાળનારા જ બહુ અલ્પ થઈ ગયા છે, અને જે બહુ જ થેડા જણ ડી પણ દેવદર્શન-પૂજાની ધર્મક્રિયા કરે છે, રાત્રિભેજન ત્યાગ વગેરે શ્રાવકના આચાર પાળે છે, એમાંય કેટલાકને કુલાચાર વગેરે આશય હોય છે. ત્યાં “શુદ્ધ ભાવ મેક્ષ આશય વિના બીજા કેઈપણ આશયથી ધર્મ કરે તે એના ભાવ મેલા હોવાથી એ ધર્મ પણ દુર્ગતિને પાપ બંધાવે.”—એવું જે આપણે કહેવા જઈએ તો શું જૈનધર્મ કે, કે જૈન ધર્મને છાસ થાય? અહીં જ્ઞાની જે કહે છે, કે “લજજાથી, ભયથી, સ્નેહથી, દુઃખથી, વગેરેથી પણ ધર્મ કરે, એને એનું અમાપ ફળ,’ એ કહીને ધર્મ–કિયા ધર્મ–આચાર ધર્મ–પ્રવૃત્તિના મહિમાનું ડિડિમ પીટે છે. એ સમજે છે કે જીવને એકવાર ધર્મ પ્રવૃત્તિ કરતે થવા દે, પછીથી એને શુદ્ધ ભાવ આવશે; એકલી પાપપ્રવૃત્તિમાં રચ્યાપચ્ચાને શુદ્ધ ભાવ નહિ આવે,
SR No.023538
Book TitleManna Minarethi Muktina Kinare Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy