________________
સ્પષ્ટ વર્ણન જૈનદર્શનમાં આધુનિક ઇતિહાસકાળ પહેલાંનું ચાલ્યું આવે છે. જૈનદર્શનકારોએ લેકમાં રહેલાં મૂળદ્રવ્યોને જુદાં જુદાં ઓળખાવી “દ્રવ્યાનુયેગ” વિજ્ઞાન રજુ કર્યું છે. એ દ્રવ્યાનુયેગના સિદ્ધાન્તમાં દ્રવ્ય-ગુણ અને પર્યાય બતાવી. જગતના વિવિધસ્વરૂપી પદાર્થોને સમજવામાં અતિ સુલભતા. કરી આપી છે.
વિકમની ઓગણીસમી શતાબ્દી સુધી તે એ દ્રવ્યાનુયોગ માત્ર શ્રદ્ધાને વિષય હતું, અને તર્કણની ઢાલ હતી. પરંતુ આજે તે એ સિદ્ધાન્ત જગતની સામે વિજ્ઞાનરૂપે. પ્રત્યક્ષ આવીને ઉભો રહ્યો છે. આજના વિજ્ઞાને એવા એવા આવિષ્કાર કર્યા છે કે જે સાધારણ જનતાને તે ચમત્કાર કે જાદુ જ લાગે. પરંતુ એનું બારીકાઈથી અધ્યયન કરીએ. તો આપણને એના મૂળમાં પરમાણુપર્યાય અને ગુણુપર્યાયના પલટાઓ બરાબર મળી આવે છે.
ઈતિહાસથી અનભિન્ન લેકો કદાચ એમ માની બેસે કે અણુ-પરમાણુવાદને પ્રથમ આવિષ્કારક “ડેમોક્રેટસ” છે.. પરંતુ એવાને ખબર નથી હોતી કે ડેમોક્રેટસની પહેલાં પણ જૈનદર્શનમાં આણુવાદનું યથાર્થ પદાર્થવિજ્ઞાન હતું. કારણ કે જૈનદર્શનમાં આગુવાદને સૂક્ષ્માતિસૂક્ષ્મ ખ્યાલ આપનાર પ્રભુ મહાવીરદેવ (આ અવસર્પિણીમાં થયેલ ચેવીશ તીર્થકર પિકી ચરમ તીર્થકર) તે ડેમેકેટસ પહેલાં થઈ ગયા છે. તે વર્તમાન ઈતિહાસના પુરાવાથી સિદ્ધ છે. જૈનદર્શનના પ્રરૂપકો શ્રી તીર્થકર દેવો જ હોય છે. પ્રભુ શ્રી મહાવીરદેવ પહેલાં.