SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રદેશસમૂહની વહેંચણી પણ સરખી સંખ્યા પ્રમાણ નહિં થતાં અમુક નિયત ધોરણે જ ન્યૂનાધિક રીતે થાય છે. આમ એક જ સમયે ગ્રાહિત કાર્મણવર્ગણામાંથી પરૂિ ણામ પામેલ કર્મના ભાગલા પડી જઈ પ્રત્યેક ભાગમાંના પ્રદેશ સમૂહની અલગ અલગ રીતે સ્વભાવાદિ નિર્માણ થવાની હકિક્ત કેટલાકને આશ્ચર્યકારી લાગશે, પરંતુ તેમાં કંઈ આશ્ચર્ય જેવું નથી. કારણ કે જીવ અને પુગલની અચિંત્ય શક્તિઓ પ્રત્યક્ષ દેખાય છે. એક જ કારણથી થતા અનેક કાર્યમાં અનેક વિચિત્રતા ઉત્પન્ન થવાની પ્રત્યક્ષતા, એક સ્વરૂપવાળા એવા એક બીજાથી વિચિત્ર પ્રકૃત્યાદિવાળા વિચિત્ર અવયવાળી વનસ્પતિઓમાં આપણે અનુભવીએ છીએ. તદુપરાંત ભેજનને કેળીયે ઉદરમાં પ્રવેશ્યા બાદ તે જ કેળીયાનું રસ-રુધિરમાંસમેદ–અસ્થિ–મજા અને વીર્ય એ સાત ધાતુરૂપ વિવિધ રીતે થતું પરિણમન તે આપણા રેજેરેજના અનુભવની વાત છે. શરીરમાં સાતે ધાતુઓની નિરંતર એક પ્રકારની રાસાચણિક ક્રિયા ચાલ્યા કરે છે. જે બરાક ખાવાપીવામાં આવે છે તે હાજરી અને આંતરડામાં પરિપક્વ થઈ નાડીઓમાં ખેંચાઈ તેનાથી મળમૂત્ર જુદાં પડે છે. અને તેમાંથી સારરૂપ જે રસના સ્થાન હૃદયમાં જઈ હૃદયમાંના મૂળ રસમાં મળે છે અને ત્યાંથી શરીરમાં પ્રસાર પામી સર્વ ધાતુઓનું પિષણ કરે છે. હૃદયમાં ગયા પછી આ રસના ત્રણ વિભાગ થાય છે. ૧ સ્કૂલ. ૨ સૂફર્મ અને ૩ મી. સ્કૂલરસ પિતાની
SR No.023527
Book TitleJain Darshanna Anuvigyanni Mahatta
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherKhubchand Keshavlal Master
Publication Year1967
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy