________________
પ્રકરણ—સાલમુ
શ્રીજિનપૂજનની—ન્યાયપુરસ્કરતા.
દશપૂર્વધર શ્રીઉમાસ્વાતિ વાચકવર્ય શ્રી તત્ત્વાર્થ ભાષ્યમાં ફરમાવે છે કે
66
अभ्यर्चनादर्हतां मनःप्रसादस्ततः समाधिश्च । तस्मादपि निःश्रेयसमतो हि तत्पूजनं न्याय्यम् ॥१॥ શ્રીઅરિહંતા–રાગદ્વેષામિલથી રહિત આત્માઓની અભ્યર્ચના, અભિગમન, સ્તુતિ, વન્દન અને પર્યાપાસના આદિથી મન:પ્રસાદ– ચિત્તની પ્રસન્નતા થાય છે. જેમ નિર્મલ જલથી મલ દૂર થાય છે તેમ મિલન જલથી મલની વિશુદ્ધિ થતી નથી. તેજ રીતે શ્રી અરિહંતા રાગદ્વેષાદિ મલથી રહિત હૈાવાથી તેમની ઉપાસના કરનારાઓના રાગાદિ મલા નાશ કરનારા થાય છે. રાગાદિ મલા નાશ પામવાથી ચિત્ત પ્રસન્ન થાય છે. ચિત્તની પ્રસન્નતાથી સમાધિ ચિત્તની એકાગ્રતા થાય છે. ચિત્તની એકાગ્રતાશાન્તતા થવાથી શુશ્રુષા તત્ત્વશ્રવણુની અભિલાષા થાય છે. તત્ત્વશ્રવણની અભિલાષાથી સાચું-ભાવનાવાળું શ્રવણ થાય છે. ભાવયુક્તશ્રવણુથી તત્ત્વવિષયક ગ્રહણુ, ધારણ અને ઉહાપાડ થાય છે. ગ્રહણ, ધારણ અને ઉહાપાહથી તત્ત્વના અધિગમ થાય છે. તત્ત્વના અધિગમ થવાથી હિતની પ્રાપ્તિ અને અહિતના પરિહાર થાય છે. હિતપ્રાપ્તિ અને અહિતના પરિહાર થવાથી નિ:શ્રેયસ–પરમકલ્યાણરૂપ મુક્તિની પ્રાપ્તિ થાય છે. એ રીતે સમાધિથી માંડીને નિ:શ્રેયસ પર્યંતના કલ્યાણાની