________________
શ્રીવીતરાગ પરમાત્માની ભક્તિનું ફળ
[ ૮૩ " अद्य नष्टो महाबन्धः, कर्मणां दुःखदायकः । सुखसङ्गः समुत्पन्नो, जिनेन्द्र ! तव दर्शनात् ॥११॥"
હે જિનેન્દ્ર ! આજે આપના દર્શનથી દુઃખને આપનાર એ કર્મને માટે બન્ધ નાશ પામ્યો છે અને સુખને સમાગમ થયેલ છે. (૧૧) “ मनःप्रसन्नं संपन्नं, नेत्रे पीयूषपूरिते। अहं स्नातः सुधाकुण्डे, जिनेन्द्र ! तव दर्शनात् ॥१२॥"
હે જિનેન્દ્ર ! આજે આપના દર્શનથી મન પ્રસન્ન થઈ ગયું, ને અમૃતથી પૂર્ણ બની ગયાં અને મેં અમૃતકુંડમાં સ્નાન કર્યું. (૧૨) " सुप्रभातं सुदिवसं, कल्याणं मेऽद्य मङ्गलम् । यद् वीतराग ! दृष्टोऽसि, त्वं त्रैलोक्यदिवाकरः ॥१३॥"
હે વીતરાગ પરમાત્મન ! ત્રણલેકના દિવાકર એવા આપનું દર્શન જે મેં કર્યું છે, તેથી શુભ-પ્રભાતમય એ મારો આજનો દિવસ કલ્યાણકારી બન્યા અને મને સુખ તથા મંગલની પ્રાપ્તિ થઈ છે. (૧૩) “ अद्य छिन्ना मोहपाशा, अद्य रागादयो जिताः । अद्य मोक्षसुखं जात-मद्य तीर्णो भवार्णवः ॥१४॥"
હે નાથ ! આજે આપના દર્શનથી મારા મહના પાશે છેદાઈ ગયા, મેં આજે રાગાદિ શત્રુઓ ઉપર વિજય મેળવ્યું, મેક્ષનું સુખ પ્રાપ્ત કર્યું અને હું સંસાર સાગરનેતરી ગયે. (૧૪)