SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રા નહિ. તે વખતે મારા એક મંત્રીએ કહ્યું કે આપ સાત દિવસ સમુદ્રમાં રહેલ વઠ્ઠાણુમાં રહેા કારણ કે સમુદ્રમાં વિજળી પડે નહિ. ખીજા મંત્રીએ કહ્યુ` કે દૈવને અન્યથા કરવા કોઈ શક્તિમાન નથી. ત્યારે એક બુદ્ધિશાળી મત્રીએ કહ્યુ` કે પોતનપુરના અધિપતિ પર વિજળી પડશે પણ શ્રીવિજય રાજા પર વિજળી પડશે એમ નિમિતિશાસ્ત્રે કશું નથી તેા ખીજા કોઈ ને પોતનપુરના અધિપતિ બનાવીએ. આ વિચાર બધાને ગમ્યા. પણ મે કહ્યું કે મારા જીવીતને ખાતર બીજાના વધ કેમ કરાય ? ત્યારે મુખ્યમંત્રીએ કહ્યું કે આપણે સાત દિવસ માટે યક્ષની પ્રતિમાના જ ગાદી પર અભિષેક કરીએ આ કહેવુ. સૌએ કબૂલ કર્યુ... ને હુ પૌષધશાળામાં રહી સાતે દિવસ પૌષધ કરીને રહ્યો. સાતમા દિવસે મધ્યાન્હ સમયે યક્ષની પ્રતિમા પર વિજળી પડી આઠમે દિવસે હુ ક્ષેમકુશળ પૌષધ પારી મારા નિવાસે આવ્યા અને નૈમિતિક ઉપર સુવર્ણની વૃષ્ટિ કરી તેને વિદાય કર્યાં. નાગરીકજનાએ મારી કરી રાજ્યાભિષેક કર્યાં. તે આ મહાત્સવનુ કારણ છે અમીતતેજે કહ્યું કે નિમિત્તમાં ફેર પડે નહિ તેના રક્ષણના ઉપાય પણ સારી શેાધી કાઢયા. એમ કહી સ્વસ્થાને ગયા. એક વખત શ્રીવિજય રાજા સુતારાને લઈ વનમાં રમવા ગયા. ત્યાં સુતારાએ સેનાના મૃગ જોયો. સુતારાએ રાજાને મૃગ લાવી આપવા કહ્યું. શ્રીવિજય રાજા મૃગને પકડવા દેડયા પણ તે નાસી ગયા. અહિં સુતારાને કુકુટ સપે` દશ માર્યાં તેથી તેણે ખુમ પાડી કે હા ! પ્રીયતમ ! મને બચાવેા. શ્રીવિજ્જ પાછા આવ્યા ત્યારે સુતારા મરણ પામી. રાજા તેના વિરહે તેની •
SR No.023501
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorAkalankvijay
PublisherAkalank Granthmala
Publication Year
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy