SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ચિલાતી પુત્રે આત્મહિત સાધી લીધું માત્ર એક સામાયિક પદને ભાવિત કરીને પણ અનેક આત્માઓ સિદ્ધિગતિને પામ્યા છે-જ્ઞાનને ભાવિત કરવાને ઉપાય સ્વાધ્યાય છે. અને એ દષ્ટિએ સ્વાધ્યાયને સૌથી વિશેષ વિશુદ્ધિને હેતુ કહેલ છે. પ્રત્યેક શુભ યોગમાં વર્તતે આત્મા અવશ્ય કમ નિર્ભર કરે છે. પરંતુ સ્વાધ્યાય ચોગમાં વતંતે આત્મા વિશેષ પ્રકારે કર્મનિર્ભર કરનાર બને છે. પ્રશ્ન:- અહીં જિજ્ઞાસુને એ પ્રશ્ન થ સંભવિત છે કે સંક્ષેપમાં કેવી રીતે ધ્યાનની ભાવના કરવી ? તેને ઉત્તર નીચે પ્રમાણે છે(१) आर्तरौद्रद्वयं त्यक्त्वा निजात्मनि रतः-परिणतः तल्लीयमानस्तञ्चित्तस्तन्मयो भूत्वा आत्मसुखस्वरूपं तन्मयत्वं - परमध्यानं चिन्तनीयम् ॥ આત અને રદ્રધ્યાનનો ત્યાગ કરી આત્મામાં મનને લીન કરી, આત્મામાં તન્મય થઈ આમ સુખસ્વરૂપ એવા પરમ દયાનનું ચિંતન કરવું જોઈએ-ભાવના ભાવવી જોઈએ. (२) विवर्जितसकलविकल्पः आत्मस्वरूपे मनः निरुन्धन् यचिन्तयति सानन्दं तद् धयं उत्तमध्यानम् ॥ સંકલ્પ-વિકલપને ત્યાગ કરી અનંત સુખસ્વરૂપ આત્મામાં મનને જોડી આનંદપૂર્વક ચિંતવન કરવું, ભાવના ભાવવી એજ શ્રેષ્ઠ ધર્મધ્યાન છે.
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy