________________
ધ્યાન એ જ ભેદવિજ્ઞાનરૂપ છે. ધ્યાન એ જ ચિદ્રશ્ય સ્વરૂપ છે. ધ્યાન એ જ ઉત્કૃષ્ટ સમવરસ છે. ધ્યાન એ જ આહલાદક સ્વરૂપ છે. દયાન એ જ પરમ પ્રકાશ સ્વરૂપ છે. ધ્યાન એ જ અનંત પરાક્રમ સ્વરૂપ છે.
તત્વથી વિચારીએ તો શુદ્ધ રત્નત્રયી આત્મામાં જ છે. તેથી આતમા એ જ શરણુ છે. શ્રી અરિહંતાદિ પંચ પરમેષ્ઠિ આત્મામાં જ સ્થિત છે તેથી આત્મા એ જ શરણ છે.
આતમા જ ભાવનાઓમાં નિમિત્ત છે. આત્મા જ જ્ઞાનમાં નિમિત્ત છે. આમા જ પ્રત્યાખ્યાનમાં નિમિત્ત છે. આત્મા જ સંવરભાવમાં નિમિત્ત છે. આત્મા જ ધ્યાનમાં નિમિત્ત છે. કેવળજ્ઞાન મારે સ્વભાવ છે. કેવળદર્શન મારો સ્વભાવ છે. અનંતસુખ મારે સ્વભાવ છે. અનંતવીય મારો સ્વભાવ છે.
આવી રીતે ભાવનાથી આત્માને ભાવિત કરવાથી, વારંવાર તેને અનુપ્રેક્ષાપૂર્વક સ્વાધ્યાય કરવાથી અંદર