________________
પ્રભુજીને મનમંદિરમાં પધરાવવા માટેની
હાર્દિક પ્રાર્થના. હે પરમાનંદ સ્વરૂપી પરમાત્મન ! હે દેવાધિદેવ ! આ દાસ ઉપર દયા કરી દાસની વિનંતિ સ્વીકારે ! સેવક ઉપર કૃપા કરી સેવકની પ્રાર્થના કબૂલ કરો! ભક્ત ઉપર પ્રીતિ ધરી ભક્તની યાચના માન્ય કરે !
પ્રભો! આ સંસારના કોઈ પણ પ્રકારના પૌગલિક સુખ પ્રાપ્ત કરવાની મને ઈચ્છા રહી નથી. વિષય-કષાયજનિત સંસારી રીતે મને રુચતી નથી. મને તે હવે માત્ર આપની એક મનહર મૂર્તિ જ ગમે છે. મને તે આપના દર્શનની જ ચાહના રહે છે. મને તે આપનું પૂજન જ પસંદ પડે છે. મને તે આપનું ચિંતન અને ધ્યાન જ રુચે છે.
પધારે પ્રભુજી દેહમંદિરમાં પધારે! આપને હૃદયરૂપી સુવર્ણમય સિંહાસન ઉપર બેસા. પ્રભુ! જુએ તે ખરા એ સિંહાસન હિંમત, ધેય, ઉત્સાહ, પરાક્રમ, પુરુષાથ, ગંભીરતા અને ઉદારતારૂપી ભલૌકિક અંતરંગ થી કેવું ભી રહ્યું છે!