SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્મ પાતાના ધનને પ્રયત્નપૂર્વક ગેાપવી શખે છે, તેમ ધ્યાનાયાસીએ ધ્યાનથી ઉત્પન્ન થતાં ઢાકાત્તર આનને અને અનુભવાતી યાનાનંદની વિલક્ષણ પ્રતીતિઓને પ્રયત્નપૂર્વક ગાવવી જોઇએ. ચિત્તની નિમળતા કર્યા વિનાનું ધ્યાન કથન માત્ર છે. ખગલા અને ખીલાડાનું ધ્યાન, ધ્યાન હોવા છતાં દુષ્ણન ગણાય છે, તેથી ધ્યાન કરનાર યાતાએ પ્રયત્નપૂર્વક પેાતાના ચિત્તને નિર્માંળ કરવુ જોઇએ. કહ્યુ છે કે ‘જેણે પેાતાના શરીર, ઇંદ્રિયા અને કષાયાને જીત્યા નથી તથા રાગ-દ્વેષને દખાવ્યા નથી, તેણે છિદ્રવાળી પખાલમાં પાણી ભરવાની જેમ ધ્યાન કરવાની નિષ્ફળ ચેષ્ટા કરી છે. ’ જે મનને વશ કરવાનું કાય માટા પર્વતને મૂળમાંથી ઉખેડી નાખવા જેવું, અગ્નિનુ' ભક્ષણ કરવા જેવું, ભૂખ્યા સિડની સામે થવા જેવું, મહાસાગરને ભુજાઓ વડે તરવા જેવું, પૃથ્વીને બાથ ભરવા જેવુ', આકાશમાં નિરાલ'મ ઉડવા જેવુ', તરવારની ધાર પર ઉઘાડા પગે ચાલવા જેવું, અને પ્રબળ વેગથી વાતા વાયુને રાકવા જેવુ અતિદુષ્કર છે, તે કાય પણ પરમાત્મસ્વરૂપને પામેલા પરમેષ્ઠિના સતત યાનથી સિદ્ધ થાય છે. માત્ર તેમાં સતત મંડયા રહેવુ જોઇએ. કહ્યુ છે કે 66 उत्साहान्निश्चयाद् धैर्यात्, संतोषात् सच्चदर्शनात् । मुनेर्जनपदत्यागात्, षड्भिर्योगः प्रसिध्यति ||१|| ""
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy