________________
આંતરૂ પાડ્યા વિના દીર્ઘકાલ સુધી અવિચ્છિન્નપણે ત્રણે સંધ્યાએ નિયમિત અને સંકલેશ હોય ત્યારે વારંવાર તેનું રટણ ચાલુ રહેવું જોઈએ.
નવકારને જાપ કરનાર પોતાના જીવનમાં નીતિ, સદાચાર આદિનું પાલન ચુસ્તપણે કરવું જરૂરનું છે. જાપની આરાધનામાં જે જે આચાર-વિચાર અપશ્યના સ્થાને છે તેને ત્યાગ કર જોઈએ. અને સાધનામાર્ગમાં જે જે પથ્ય હોય તેનું પાલન કરવા માટે ઉદ્યમશીલ બનવું જરૂરી છે. જ
અતિ દુર્લભ આ માનવ જન્મ પ્રાપ્ત કરીને અને તેમાં પણ શ્રી જિનેશ્વર ભગવાનનું શ્રેષ્ઠ શાસન પામીને વિવેકી આત્માઓએ પિતાના જીવનમાં ઓછામાં ઓછા સંપૂર્ણ નવલાખ નવકાર ગણવાની ભાવના અવશ્ય કેળવવી જોઈએ. અને વિધિપૂર્વક તે જાપ પૂર્ણ કરે જઈએ. શાસ્ત્રો કહે છે કે વિધિપૂર્વક નવલાખ શ્રી નવકાર મહામંત્રનો જાપ કરનાર કદિ પણ નરક અને તિર્યંચગતિમાં જ નથી. પરંતુ ઉત્તમ દેવગતિ અને મનુષ્યગતિ પ્રાપ્ત કરી તે મિક્ષ સુખ પ્રાપ્ત કરે છે.
આ રીતે પરમેષ્ઠિ વિષયક ભક્તિ પ્રયુક્ત આ નવકાર મહામંત્ર આ લોક અને પરલોકના સુખને કરનારો છે અને આલેક તથા પરલોકના દુઃખને દળના છે.
* સાધનાના માર્ગમાં શું શું પથ્ય છે અને શું શું અપય છે. તેનું વિશેષ વર્ણન “નમસ્કાર ચિંતામણિ' નામના પુસ્તકમાં સાધનાના માર્ગમાં પથ્યાપથ્ય' એ મથાળા નીચે આપવામાં આવેલ છે. ત્યાંથી જોઈ લેવું.