________________
હત, આકાશગામી વિદ્યાને જાણકાર હતા, અષ્ટાંગ નિમિત્તને પારગામી તે છતાં સ્પર્શનેન્દ્રિયની આસક્તિથી તે મરણ પામ્યા.
બલવાન, મદોન્મત્ત, વનમાં ઈરછા પ્રમાણે વિચરનાર, ઉંડા જલમાં પણ ઉતરી શકે, તેવા પણ હાથીએ, હાથિણીમાં આસક્ત બનીને બંધનમાં સપડાય છે, ત્યારબાદ બન્ધ, વધ, દમન, વાહન, અંકુશ, પગની લાતે, અભિઘાત. વિગેરેથી ઉત્પન્ન થતાં તીવ્ર દુઃખેને અનુભવે છે, ત્યારે તેને વનમાં પોતે જે સ્વેચ્છાએ વિચરતે હતું તે યાદ આવે છે. અને ખેદને પામે છે. આ રીતે પશનેન્દ્રિયમાં આસક્ત બનેલા છેઆ લેક અને પરલોકમાં દુઃખ પામે છે.
તથા રસનેન્દ્રિયમાં આસક્ત છ માસ્યની જેમ દુઃખ -મરણ પામે છે. એક કાગડો મરેલા હાથીના શરીરમાં માંસ ખાવાના લેભથી પેસી ગયે પછી તે બહાર નીકળી શક્યો નહિં, અતિ વરસાદના કારણે હાથીનું કલેવર પાણીમાં તણાઈ ગયું તે સાથે કાગડો પણ તણાઈ ગયા અને છેવટે મૃત્યુ પામ્યા.
ધ્રાણેન્દ્રિયમાં આસક્ત ભમરાઓ વગેરે અકાળે નાશ પામે છે.
ચક્ષુરિન્દ્રિયમાં આસક્ત અનક ચાર સ્ત્રી-દર્શનમાં આસક્ત બનીને નાશ પામે છે, તથા પતંગિયા દીપકનાં પ્રકાશમાં લેલુપી બની મરણને શરણ થાય છે.