SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ છે કે “સંસારમાં સર્વ પ્રાણીઓ પિતા, માતા, પુત્ર, શત્રુ, આદિ સંબંધથી અનંત વખત સંબંધિત થયેલા છે. ચેથી એકત્વ ભાવના. હું એકલે જ છું, મારું સ્વ-કે પર કોઈ નથી. એકલો જ હું જન્મ પામું છું. એક જ મરું છું. મારા કહેવાતા સ્વજન કે પરજન કોઈપણ વ્યાધિ, જરા, મરણ આદિનાં દુઃખને કે તેના અંશને પણ દૂર કરી શકે તેમ નથી. હું એકલે જ મારાં કરેલાં કર્મનાં ફળને અનુભવું છું. એ રીતે વિચારવાથી કહેવાતા સ્વજન ઉપર નેહરાગને પ્રતિબંધ અને કહેવાતાં દુશમન ઉપર શ્રેષાનુબંધ થતું નથી. તેથી નિસંગભાવને પામેલ આત્મા કેવલ મેક્ષને માટે જ પ્રયત્ન કરવા ઉદ્યત થાય છે. કહ્યું છે કે એક જ એટલે અસહાય એ આત્મા જન્મ-મરણ પામે છે. જન્મતાં અગર મરતાં આત્માને કોઈ પણ સહાયક નથી. વળી મરણ બાદ નરકાદિ ગતિઓને વિષે પિોતે કરેલાં કર્મનાં ફલને અનુભવતાં પણ અન્ય કોઈ સહાયક થતું નથી. સંસારરૂપી સમુદ્રના આવર્તમાં ભમતાં દેવ, મનુષ્યની શુભ યોનિઓમાં કે તિર્યંચ-નરકગતિની અશુભ પેનિમાં આત્મા એકલો જ સુખ-દુઃખને અનુભવે છે. તેથી આત્માએ પિતાનું હિત કરવું જોઇએ. અર્થાત્ સંસારમાં સંયમાનુષ્ઠાનરૂપી હિત અથવા સંયમાનુષ્ઠાનથી પ્રાપ્ય મોક્ષરૂપી અત્યંત હિત પ્રાપ્ત કરવા માટે સતત ઉદ્યમ કરવું જોઈએ.
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy