SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૫ પરજનો (શત્રુ) પણ થયેલા છે. સંસારમાં વજન કે પરજનની વ્યવસ્થા છે જ નહિં. કારણ કે નાટકનાં પાત્રની જેમ સંસારરૂપી નાટકમાં માતા થઈને તેની તે જ પાછી અન્ય ભવમાં બહેન, ભાર્યા અને પુત્રી પણ થાય છે. બહેન થઈને પાછી અન્ય ભવમાં તે જ ભાર્યા, માતા અને પુત્રી પણ થાય છે. ભાર્યાં થઈને પાછી અન્ય ભવમાં તે જ માતા, બહેન અને પુત્રી પણ થાય છે. પુત્રી થઈને અન્ય ભવમાં પાછી તે જ માતા, બહેન, અને ભાર્યા થાય છે. તથા પિતા થઈને ભાઈ, પુત્ર અને પૌત્ર થાય છે. ભાઈ થઈને પિતા, પુત્ર અને પૌત્ર થાય છે. પૌત્ર થઈને પિતા, ભ્રાતા અને પુત્ર થાય છે. પુત્ર થઈને પિતા, ભ્રાતા અને પૌત્ર થાય છે. સ્વામી થઈને દાસ થાય છે. દાસ થઈને સ્વામી થાય છે. શત્રુ થઈને મિત્ર થાય છે. મિત્ર થઈને શત્રુ થાય છે. પુરુષ થઈને સ્ત્રી અને નપુંસક થાય છે. સ્ત્રી થઈને પુરુષ અને નપુંસક થાય છે. નપુંસક થઈને સ્ત્રી અને પુરુષ થાય છે. એ પ્રમાણે ચોરાસી લાખ જીવોની નિઓમાં રાગ, દ્વેષ અને મોહથી અભિભૂત તથા વિષયતૃષ્ણાથી અતૃપ્ત પ્રાણિઓ અન્ય ભક્ષણ, અભિઘાત, વધ, બન્શન, અભિ. ગ, આક્રોશાદિથી ઉત્પન્ન થનારાં તિવ્ર દુખે પ્રાપ્ત કરે છે. અહે, આ સંસાર સુખ-દુઃખાદિ દ્વોથી ભરેલો છે, કષ્ટથી ભરપુર છે. સંસારના વિષય-કષાય અને તેના પરિણામરૂપ ભયથી આ રીતે ઉદ્વિગ્ન થયેલ આત્મા જે રીતે સંસારને શીઘ વિચ્છેદ થાય તે રીતે ઉદ્યમ કરે છે. કહ્યું
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy