________________
૪૪૪
વાલેા થઈશ. તારી આજ્ઞાને માથે ચડાવી શુદ્ધ સ્વરૂપને વિચાર કરીશ. તારા માના અનુભવ મેળવી અન્ય ચેાગ્ય સુપાત્ર જીવને તારા માર્ગ પમાડવા પ્રયત્ન કરીશ.
છેવટે તારા પરમ હિતકર માત્ર પામી તાશ પરમ પ્રભાવે “ સર્વ જીવા સુખી થાએ ” “ સર્વ જીવા સુખી થાએ ” એવી ભાવના મારા હૃદયમાં અહોનિશ જાગતી રહે એ જ મારી અભિલાષા છે.
આપના અચિંત્ય પ્રભાવથી હે પરમ કૃપાલુ દેવ ! મારી આ બધી ભાવનાએ સલ થાએ એમ આપની પાસે હું નમ્રભાવે વારવાર વિનવણી કરુ છુ.
दयासूनृतास्तेयनिःसंगमुद्रा, -
तपोज्ञानशीलैर्गुरूपास्ति मुख्यैः ।
सुमैरष्टभिर्योच्यते धानि धन्यैः,
स एकः परात्मा गतिमें जिनेन्द्रः ॥ १ ॥
અ—ધન્ય એવા પુરુષા દયા, સત્ય, અચૌય, નિસ`ગ મુદ્રા, તપ, જ્ઞાન, શીલ અને ગુરુની ઉપાસના પ્રમુખ આઠ પુષ્પાથી જે ભગવંતનું જ્ઞાનયેાતિમાં પૂજન કરે છે, તે શ્રી જિતેન્દ્ર પરમાત્મા એક જ મારી ગતિ હૈ। ।। ૨ ।।
-શ્રી સિડ્સેન દિવાકરસૂરિવિરચિતા શ્રી વર્ધમાન દ્વાત્રિશિકા શ્લેા. ૩૦