________________
અને તેનું રહસ્ય જાણવા પ્રયત્ન કરીશ. આશાતના તજવાને ખપ કરીશ. શુદ્ધ પ્રેમથી તારા મંગલ નામને જપ કરીશ. અને પ્રત્યેક આચરણમાં તારી આજ્ઞા પ્રમાણે જીવન ઘડવાને યથાશક્તિ પ્રયત્ન કરીશ.
જ્ઞાનનિરપેક્ષ એકલી ક્રિયા અને ક્રિયાનિરપેક્ષ એકલું જ્ઞાન ધારણ કરવાનો આગ્રહ રાખીશ નહિ. પણ સમ્યજ્ઞાન સહિત ક્રિયા ભક્તિ અને વૈરાગ્ય ધારણ કરી “જ્ઞાનવિચાચ્ચાં મોક્ષ ” એ જાતની સનાતન હિતશિક્ષાને ધારણ કરી તેને અમલ કરવા કટિબદ્ધ થઈશ. બીજા જીની સાથે તેમના અધિકાર પ્રમાણે વર્તીશ, અને હું તારી આજ્ઞાના પાલન માટે સારો અધિકારી થવા પ્રયત્ન કરીશ. આ બધી મારા અંતરની તીવ્ર ભાવનાઓ છે, તેને આપની પાસે મેં સરળ ભાવે પ્રગટ કરી છે.
હે પરમાત્મન્ ! મનુષ્યભવની દુર્લભતા મને સમજાઈ છે, તેની અમૂલ્યતા મારા લક્ષ્યમાં આવી છે, ત્રણ ભુવનનું બાહ્યા ઐશ્વર્ય આપતાં પણ જેને એક ક્ષણ પણ મળવો અતિદુર્લભ છે, માટે હું તેને એક ક્ષણ પણ વૃથા ગુમા વીશ નહિ, નિરર્થક નિંદા-વિકથા આદિમાં વખત ગાળીશ નહિ. આળસ-પ્રમાદને ત્યાગ કરી આત્મજ્ઞાન મેળવવા પ્રયત્ન કરીશ અને આત્મામાં જ રતિ, પ્રીતિ, અને પ્રેમ