________________
સ્થાને છે અને ધ્યાનશુદ્ધિ એ સાધ્યના સ્થાને છે. મોટા મહેલ ઉપર ચડવું હોય તે નિઃસરણ એ સાધન છે અને મહેલ ઉપર પહોંચવું એ સાધ્ય છે. સાધન જે સાધ્યની સિદ્ધિમાં નિમિત્ત બને તે જ તેનામાં વાસ્તવિક સાધન પણું ઘટી શકે. પણ સાધનમાં જ જે અટવાઈ જવાનું બને અને સાધ્ય જ સર્વથા ભૂલાઈ જાય તો તે કિયા લક્ષ્યવિહેણી બની જવાથી તેનામાં વાસ્તવિક સાધનપણું ઘટી શકે નહિં. એટલા માટે સાધ્યના લક્ષ્ય પૂર્વક શુભમાં જે પ્રવૃત્તિ થાય છે, તે ક્રિયા જ ભવસાગર તરવા માટે સમર્થ બની શકે છે.
સાધ્યના લક્ષયપૂર્વક વિધિપૂર્વકની ક્રિયા દ્વારા જ્યારે થાનગની શુદ્ધિ થાય છે ત્યારે આત્માને અહીં જ અનુભવમાં આવી શકે તેવી અનેક પ્રકારની પ્રતીતિએ આપોઆપ-પિતાની મેળે જ પ્રગટ થવા લાગે છે. અષ્ટ સિદ્ધિ અને નવનિધિ એ બધું પણ કાંઈ બહાર નથી. બધું આત્મામાં જ છે કે તેને વિધિપૂર્વક પ્રગટ કરવાની જરૂર રહે છે. અને અનુભવીઓ કહે છે કે ધ્યાન દ્વારા અચૂક રીતે તે પ્રગટ થાય છે. એજ વાતને પૂર ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મ. પોતાના ટંકશાળી વચને દ્વારા સ્પષ્ટ રીતે ફરમાવે છે કે– હે ભવ્ય છે ! તમે શ્રી વીર જિનેશ્વરના આ ઉપદેશને ચિત્ત દઈને સાંભળો. કરૂણા
* અષ્ટક સકલ સમૃદ્ધિની ઘટ માંહે ઋદ્ધિ દાખી રે.