________________
પરમાત્મ પ્રાથના.
હે પ્રભો ! મારી એવી દશા કયાર જાગ્રત થશે કે અહોનિશ તારી આજ્ઞા હું ફૂલની માળાની પેઠે મારા મસ્તક પર ધારણ કરનારો બનીશ! તારા વચને ઉપર પૂર્ણ શ્રદ્ધા મને કયારે જાગૃત થશે?
હે ક્ષમાસાગર! તારી ક્ષમા જઈ તારા જેવી ક્ષમા કરવા હું કયારે ભાગ્યશાળી થઈશ? તારી દયા જઈ મારામાં એવી દયાના અંકુશ કયારે પ્રગટ થશે ? તારી અનંત કરૂણા જોઈ મારામાં એવી કરૂણાનો પ્રવાહ અખલિત ધારાએ કયારે વહેતે થશે? તારી શાંતિ જોઈ મારામાં એવી અખંડ શાંતિ સ્થિરપણે કયારે પ્રગટ થશે? તારી પ્રસન્નતા જોઈ મારામાં એવી પ્રસન્નતા કયારે પ્રગટ થશે? તારું નિશ્ચલ નિર્મળ ધ્યાન જોઈ મારામાં એવું નિશ્ચલ અને નિર્મળ ધ્યાન કયારે પ્રગટ થશે ? સર્વ જીને તારવા માટેની તારી અપૂર્વ પરોપકારબુદ્ધિ જોઈ મારા હૃદયમાં સર્વ જીવો પ્રત્યે તેવી પરોપકારબુદ્ધિ કયારે જાગ્રત થશે ? તારી અનુપમ સહન શીલતા જોઈ મારામાં પણ એવી સહનશીલતા કયારે પ્રગટ