SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ તેમાં મુખ્ય ફળે શ્રી અરિહંત પરમામાને હોય છે. તેઓના ઉપકાર તળે આવ્યા સિવાય કોઈ પણ જીવ પોતાનું કલ્યાણ સાધી શકતું નથી, જેથી તેઓને ઉપકાર અજોડ અને મહાન બની જાય છે. આ રીતે શ્રી અરિહંત પરમાત્માનું પદ એ પપકાર ગુણને ભંડાર છે. આ પદની આરાધના કરનાર આરાધક આત્મા, આરાધ્ય શ્રી અરિહંત પરમાત્મામાં રહેલ પરોપકારરૂપી ગુણની અનુમોદનાથી પિતામાં પણ પરોપકારભાવને વિકસાવી કમે કમે તેને પરાકાષ્ઠાએ પહોંચાડવા માટે સમર્થ બની શકે છે. એ નિયમ છે કેજે આત્મા હંમેશાં ભાવપૂર્વક ગુણના લક્ષયપૂર્વક જેનું સતત ચિંતન, મનન, સ્મરણ, જાપ, ધ્યાન આદિ કરે છે, તે આત્મા પણ મોડો-વહેલા તેના જે થયા વિના રહેતા નથી. ખરી રીતે આ પરોપકારભાવ એ જ માનવજીવનનું સાચું અમૃત છે. એ ભાવને કેળવવાથી આત્માને અનાદિ શત્રુ સ્વાર્થ ભાવ, કે જેમાં કેવળ પોતાના જ ભૌતિક સુખ અને સગવડની ચિંતા પ્રધાનપણે હોય છે, તે પશુભાવ ટળી જાય છે અને આત્મા દિવ્યતાના પંથે વળે છે. આવા અનેક લાભ શ્રી અરિહંતપદની આરાધનાથી આપણને પ્રાપ્ત થાય છે, જેથી શ્રી અરિહંતદેવ આપણું પરમ ઉપકારી છે. ઉપકારીને ભાવપૂર્વક નમવાથી તથા તેઓની ભક્તિ, સેવા, ઉપાસના અને આરાધના કરવાથી આપણામાં કૃતજ્ઞતા નામને ગુણ વિકાસ પામે છે, કે જે કૃતજ્ઞતા ગુણ મોક્ષમાર્ગની આરાધનાનું મૂળ છે.
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy