SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ શ્રવણાદિ થઈ શકે છે. આધ્યાત્મિક સાધનાને મુખ્ય સૂર બહિર્મુખતાને ત્યાગ કરી અંતર્મુખ બનવું અને અંતર્મુખ બની પરમાત્મદશાને અનુભવ કરે તે છે. કેવળજ્ઞાન એટલે સંપૂર્ણજ્ઞાન અને જ્ઞાનમાં સ્થિરતા તે ચારિત્ર છે. આ આધ્યાત્મિક અર્થ છે. અહીં મંગળદી એ કેવળજ્ઞાનનું પ્રતીક છે. આ રીતે અષ્ટપ્રકારી પૂજામાં ધ્યાન દ્વારા થતી અતુભૂતિને ક્રમ સાંકેતિક ભાષામાં ગુંથવામાં આવ્યું છે. તેનું વિશેષ રહસ્ય ગુરુગમથી જાણવું જરૂરી છે. કોન્સર્ગનું સ્વરૂપ, ઉપવાસથી ઈન્દ્રિયજય, મનેનિગ્રહ, વાસનાક્ષય અને પ્રાણસિદ્ધિ થાય છે. ઉપવાસ ત્રણ પ્રકારનાં છે. વાણીને ઉપવાસ મૌન છે, મનને ઉપવાસ તે સ્થાન છે અને શરી. રને ઉપવાસ તે આહારત્યાગ અને એક સ્થાને સ્થિર આસન છે. શરીરના ઉપવાસથી ઈન્દ્રિયોનો જય, મનના ઉપવાસથી મને નિગ્રહ તથા વાણના ઉપવાસથી પ્રાણને વિજય થાય છે. કાર્યોત્સર્ગમાં ત્રણ પ્રકારના ઉપવાસને લાભ મળે છે. ત્રણ પ્રકારના ઉપવાસ સામટા થવાથી વાસનાને ક્ષય છે. ઇન્દ્રિયનિગ્રહ, મને નાશ, અને વાસનાક્ષયનું પરમ કારણ હોવાથી કાયોત્સર્ગની ક્રિયાને શાસ્ત્રમાં અત્યંત૨ તપનો ઉત્કૃષ્ટ ભેદ કહ્યો છે.
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy