SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ ' પૂજા કરવામાં આવે છે. · ધૃપ ધ્યાન ઘટા અનુસરીયે રે, હા મનમાન્યા માહનજી. "" દીપકપૂજા—પ્રાચીન મશિના ગભારામાં અધારૂ હાય છે. તેમાં ચૈતન્ય દેવ બિરાજે છે. દીપક થાય ત્યારે જ પરમાત્માનું દર્શન થઈ શકે છે, કામણુ શરીરનુ' પ્રતીક ગભારા છે. તેમાં આત્મદેવ બિરાજે છે. અનુભવરૂપી દ્વીપક પ્રકાશિત થતાં ચૈતન્ય દેવનું' દર્શન શકય બને છે. અક્ષતપૂજા—આપણા આત્માનું અખડ અક્ષય સ્વરૂપ છે, તેના પ્રતીકરૂપ અક્ષતપૂજા છે. ફળપૂજા—પરમાત્મા પાસે જે ફળ મૂકવામાં આવે છે, તે શુભ-અશુભ કર્મ ફળનાં ત્યાગરૂપે છે, કર્મોના શુભાશુભ ફળના હું કર્તા કે ભાતા નથી અને હું ક્રમફળથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ છું, તેવી અનુભૂતિના પ્રતીકરૂપે ફળપૂજા કરવામાં આવે છે, નૈવેઘપૂજા—નૈવેદ્યપૂજા એ આત્મનિવેદનના પ્રતીક રૂપે છે. આરતી અને મંગળ દીવા—આરતી પાંચ જ્ઞાનનું પ્રતીક છે. અને મંગળદીવા એ કેવળજ્ઞાનનું પ્રતીક છે. સાધનામાં સ્વલક્ષી આરાધના વિશેષ ઉપયાગી છે. ભૌતિક વિજ્ઞાન, ટેલિફાન,ટેલિવિઝન અને રેડીયેા દ્વારા દૂર દર્શન, દૂર શ્રવણુ કરી શકાય છે, તેમ ચૈતન્યવિજ્ઞાન દ્વારા મહાવિદેહ, સીમ‘ધરસ્વામી અને તેમની વાણીનુ દર્શન,
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy