SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ આબુજીમાં શ્રી આદીશ્વરજી, નેમનાથજી, પાર્શ્વનાથજી, પ્રમુખ શ્રી જિનબિઓ ઘણું છે, અનંતા જીવે ત્યાં પણ મુક્તિ પદને પામ્યા છે, તે સર્વને હું નમસ્કાર કરું છું. અષ્ટાપદજી ઉપર શ્રી આદીશ્વર ભગવાન દશ હજાર મુનિઓ સાથે મુક્તિ વર્યા છે, ભરત મહારાજાએ ત્યાં સેનાનું દહેરું-સિંહ-નિષદ્યા પ્રાસાદ બંધાવીને તેમાં રત્નનાં સ્વસ્વકાય પ્રમાણ વીસે જિનબિમ્બ ભરાવ્યાં છે, શ્રી ગૌતમ સ્વામિજીએ પિતાની લબ્ધિ વડે અષ્ટાપદજી જઈ એ સર્વ બિમ્બને ચત્તારિ અઠ દસ દેય, વંદિયા જિણવા ચઉવસં; પરમઠનિટ્રિઅઠ, સિદ્ધા સિદ્ધિ મમ દિસતુ. ઈત્યાદિ સ્તુતિથી વાંદ્યા છે, “જગચિંતામણિ” સૂત્રની રચના કરી ચૈત્યવંદન કર્યા, તિર્યગૂર્જુભક દેવતાને પ્રતિબોધ કર્યો, પંદરસે ત્રણ તાપસને દીક્ષા આપી પારણાં કરાવી કેવળજ્ઞાન પમાડયું, રાવણે વીણાવાદન કરી અપૂર્વ જિનભક્તિના પ્રભાવે શ્રી તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું, કાળે કરીને ત્યાં પણ અનંતા છ મુક્તિપદને વર્યા છે, તે સર્વને મારી ત્રિકાળ કોટાનુકેટી વંદના હેજે. શ્રી ગિરનારજી તીર્થ ઉપર શ્રી નેમિનામ ભગવાને એક હજાર પુરુષ સાથે દીક્ષા લીધી. સંસાર ખરેખર દુખસ્વરૂપ, દુખ ભરપૂર, દુખના જ ફલવાળ, દુઃખની જ પરં પણ પેદા કરનારે, સાચા સુખને વૈરી, હળાહળ વિષ જે ભડભડતી આગ જેવો છે. જેઓ એનો ત્યાગ કરી સંયમ પાળી સંસાર તરી જાય છે તેઓને ધન્ય છે, પ્રભુએ ચારિત્ર
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy