SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૧ કર્મજ વ્યાબાધાઓ રહિત, અપુનરાવૃત્તિ-સંસારમાં ફરી વાર આવવાનું નથી એવું, સિદ્ધિગતિનામધેય–જેમાં જીવો સિદ્ધ-નિષ્કિતાર્થ થાય છે તે કાન્ત ક્ષેત્ર લક્ષણ સિદ્ધિ અને જવા યોગ્ય સ્થાન હોવાથી ગતિ-તેને પ્રાપ્ત થયેલા. શિવાલાદિ વિશેષ નિશ્ચયથી મુક્તાત્માને લાગુ પડે છે પણ વ્યવહારથી સ્થાન અને સ્થાનિને અભેદ માનીને સિદ્ધિ ક્ષેત્રને પણ લાગુ પડે છે. એવા પ્રકારના સ્થાનને સમ્રાપ્તઅશેષ કર્મથી રહિત બનીને પ્રાપ્ત થયેલા-સ્વરૂપમાં સ્થિર થયેલા, આ પ્રકારના જિનેશ્વર એ જ પ્રેક્ષાવંત પુરુષને નમ સ્કાર કરવા યોગ્ય છે, એ જણાવવા તથા આદિ અને અંતમાં કરેલ નમસ્કાર મધ્યમાં પણ વ્યાપિ છે, એ દર્શાવવા અને ભયને જીતનારા પણ તેઓ જ છે કિન્તુ બીજા નથી, એ વાતનું સમર્થન કરવા ઉપસંહાર કરતાં કહે છે કે – નમો ઉવળા સિમચાળ જિનેને તથા ભયને જીતનારાઓને નમસ્કાર થાઓ. અહી પુનરુકિત દેષની શંકા નહિ કરવી. સ્વાધ્યાય, ધ્યાન, તપ, ઔષધ, ઉપદેશ, તુતિ, દાન અને સજજનાના ગુણેનું ઉત્કીર્તન એટલી વસ્તુઓમાં શાસકાર મહષિઓએ પુનરુક્તિને દોષ તરીકે ગણવેલ નથી. કિન્તુ ગુણરૂપ માનેલી છે. અહીં પ્રસ્તુતિને વિષય છે તેથી દેષની આશંકા અયુક્ત છે. આ નવ સભ્યદાઓથી યુક્ત પાઠને પ્રણિપાત દંડક કહે છે. કારણ કે–પાઠ કહ્યા પછી તુરત જ પ્રણિપાત કરવાને
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy