________________
શ્રી અરિહંત પરમાત્માના દર્શન વખતે
બોલવાની સ્તુતિઓ. दर्शनं देवदेवस्य, दर्शनं पापनाशनम् । दर्शनं स्वर्गसोपानं, दर्शनं मोक्षसाधनम् ॥ १ ॥ દેવાધિદેવનું દર્શન પાપનો નાશ કરનારું છે, સ્વર્ગનું પાન-પગથીયું છે અને મોક્ષનું સાધન છે. અર્થાત્ મોક્ષને ઉપાય છે. (૧)
अद्याऽभवत् सफलता नयनद्वयस्य, देव ! त्वदीयचरणाम्बुजवीक्षणेन । अद्य त्रिलोकतिलक ! प्रतिभासते मे, संसारवारिधिरयं चुलुकप्रमाण: ॥ २ ॥ હે દેવ ! આપના ચરણકમળના દર્શનથી આજે મારા બંને નેત્રેની સફળતા થઈ. હે ત્રિલોકતિલક! આજે આ સંસારરૂપી સાગર મને એક ચુલક (ચાંગળા) જેવડો જણાય છે.(૨)
कलेव चन्द्रस्य कलङ्कमुक्ता, मुक्तावलीवोरुगुणप्रपन्ना । जगत्त्रयस्याभिमतं ददाना, जैनेश्वरी कल्पलतेव मूर्तिः ॥ ६ ॥
શ્રી જિનેશ્વર ભગવંતની મૂર્તિ ચંદ્રમાની કલાની જેમ કલંકથી મુક્ત છે, મિતીની માલાની જેમ મનહર ગુણથી