________________
૨૨૫
મુક્તિને આપનારી કહી છે.
અંગપૂજા એટલે પ્રભુના શરીર સંબંધી પૂજા. પ્રથમ નિર્માલ્ય ઉતારવું, મોરપીંછીથી પ્રમાર્જના કરવી, પંચામૃતથી અભિષેક કરે, અંગભૂંછણ કરવાં, વિલેપન કરવું, નવ અંગે પૂજા કરવી, પુષ્પ ચઢાવવાં, અંગરચના કરવી, કરતુરી આદિવડે પ્રભુના શરીરે પત્ર વિગેરેની રચના કરવી, આભૂષણ પહેરાવવા ઈત્યાદિ.
અગ્રપૂજા-એટલે પ્રભુની આગળ ધૂપ કર, દીપક કરે, અક્ષતાદિ વડે અષ્ટ મંગળ આલેખવા, પુષ્પના પગર ભરવા, ઉત્તમ ફળ મૂકવા, અશન-પાન-ખાદિમ-સ્વાદિમ એ ચાર પ્રકારનાં નેવેદ્ય ધરવા, આરતી, મંગળદી ઉતાર, ગીતનૃત્ય વાજિંત્રાદિ વગાડવા ઈત્યાદિ.
ભાવપૂજા એટલે ચૈત્યવન્દન, સ્તવન, તુતિ, તેત્ર, જપ, અને કેટલાક આચાર્ય મહારાજાના મત પ્રમાણે ગીત, નૃત્ય, વાજિંત્રાદિ પણ ભાવપૂજા ગણાય છે.
૧૫