________________
૨૨૨ પૂજિત, સમગ્ર ઐશ્વર્યવાન પૂજ્ય ભગવાન શ્રી જિનેશ્વરદેવ હિતાભિલાષિ-પ્રાણીઓને ભક્તિ-વિનયવડે પૂજન કરવા થિગ્ય છે. (૨)
પપચાયુક્ત–પંચાંગ પ્રણિપાતરૂપ, અષ્ટપચાયુક્તઅષ્ટાંગ પ્રણિપાતરૂપ અથવા સપચારયુક્ત-ઋદ્ધિવિશેષથી દશાર્ણભદ્રાદિની જેમ હસ્તી, અશ્વ અને રથાદિ સર્વ સામગ્રી વડે, સર્વ બલ વડે, સર્વ સમુદય વડે, સર્વ વિભૂતિ વડે, સર્વ વિભૂષા વડે અને સર્વ આદર વડે. (૩)
પરિશુદ્ધ ન્યાયાર્જિત વિત્ત દ્રવ્ય વડે અને બીજા પણ સસાધન વડે બુદ્ધિમાન પુરુષે શ્રી જિનરાજની નિરવશેષસમસ્ત પ્રકારે પૂજા કરવી જોઈએ. (૪)
શુચિ અર્થાત્ દ્રવ્યભાવ નાનવડે પવિત્ર થઈને, દ્રવ્યસનાનહાથપગશિરાદિ અવયનું અને ભાવનાન મલિન અધ્યવ સાયનું-શરીર તથા મનથી સ્વચ્છ થઈને, વેત અને શુભ વસ્ત્ર પહેરીને-શુભ શબ્દથી શ્વેત વર્ણ સિવાયના બીજા પણ ફક્ત પીતાદિ વર્ણવાળા શુભ વસ્ત્રો પહેરીને, આગમ પ્રધાન બનીને તથા આલોક પરલેકાદિના સાંસારિક ફલની કામનાથી રહિત બનીને, જે જે પ્રકારે ભાવની અત્યંત વૃદ્ધિ થાય તે તે પ્રકારે પુષ્પ અને વસ્ત્રાદિની સામગ્રીથી સજજ બનીને-શ્રી જિનરાજની પૂજા કરવી જોઈએ. (૫)
"कायादियोगसारा त्रिविधा तच्छुद्धयुपातवित्तेन । : या तदतिचाररहिता सा परमाऽन्ये तु समयविदः ॥ ६॥ ...