SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨િ૦૦ ભામંડળની દીપ્તિ એટલા બધા બળથી જાજવલ્યમાન રહેશે કે તે ભામંડળના પ્રચંડ પ્રતાપ આગળ કઈ અરિનું–બાહ્યા કે અંતરંગ અરિનું બળ નભી શકશે નહીં. મામંe૪ સુમરાતપત્રમ્ વિગેરે જે અતિશનું શાસ્ત્રમાં વર્ણન કરવામાં આવ્યું છે, તેવા અતિશયેવાળો આપને પુત્ર થશે, એમ આ સૂર્યનું સ્વપ્ન સૂચવે છે. મનુષ્ય જેમ જેમ વિશુદ્ધિમાં તથા નિર્દોષ તામાં આગળ વધતું જાય છે તેમ તેમ તેના મુખની આસપાસ પ્રવર્તતે પ્રકાશ-ભામંડળ વધારે ઉમ-પ્રખર રૂપે પ્રકાશવા લાગે છે. તીર્થકર ભગવાનની સૌમ્ય અને શાંત મુખકાંતિની તરફ સૂર્યનાં કિરણે જેવું પ્રભાસ્યમાન તથા પ્રબળ પ્રતા પાન્વિત મામડળ ફેલાયેલું હોય છે, જેથી કરીને તેમને પ્રતાપ અખંડિત રહે છે, તેમનું શાસન સર્વોપરિ રહે છે અને તેમના વિરોધીઓનું બળ નિષ્ફળ જાય છે. પ્રભો ! આપના ભામંડળ સરખે સમ્યક્ત્વને પ્રકાશ ચતરફ પ્રસાર પામે અને આપનાં તેજસ્વી સહસ્ત્ર કિરણે વડે મિથ્યાત્વરૂપી તિમિરને નાશ થાઓ, એ જ અમારી પુનઃ પુનઃ પ્રાર્થના છે. આઠમા સ્વપ્નની વજા શું સૂચવે છે, સંબંધી, કવિ બહુ સરળ રીતે કહે છે કે – ઘરમધજાને ભેગી થાશે, મુજ દરશન તુજ નંદજી, કે આઠમે સ્વને દેવજ એમ વિનવે, ધરતી રાગ ઉમંદાજી; સુણે ભવિ પ્રાણીજી રે. (૮)
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy