SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ છે તેમની પાસે આવે અને તેમનું શરણ સ્વીકારે." આ પ્રાતિહાર્યથી પ્રભુ જગત ઉદ્ધારક તથા જગતને અભયદાન આપનારા છે એમ સૂચિત થાય છે. છેલલા “છત્રત્રયી ” નામના આઠમા પ્રાતિહાર્ય વિષે તેઓશ્રી વદે છે કે - उद्योतितेषु भवता भुवनेषु नाथ, तारान्वितो विधुरयं विहताधिकारः । मुक्ताकलापकलितोच्छ्वसितातपत्र, व्याजास्त्रिधा धृततनुर्धवमभ्युपेतः ।। ભાવાર્થ - હે પ્રભુ આપની ઉપર જે ત્રણ છત્ર જેવું દેખાય છે તે છત્ર નથી પરંતુ મૂક્તાના સમૂહથી યુક્ત અને ઉલ્લસિત એવા છત્રના બહાનાથી ચંદ્ર પોતે પોતાના તારા મંડળ સાથે ત્રણ પ્રકારનું શરીર ધારણ કરી આપની પાસે સેવા અર્થે હાજર થયો હોય એમ લાગે છે. ચંદ્ર તમારી સેવામાં હાજર થાય એમાં નવાઈ પણ નથી, કારણ કે તેને અધિકાર જગતને જે પ્રકાશ આપવાનો હતો તે આપના પ્રકાશથી હણાઈ ગયા હતા, કેમકે આપ પોતે જયાં ત્રણ ભુવનને પ્રકાશિત કરતા હો ત્યાં ચંદ્ર બિચારો નિષ્ફળ થાય એમાં કંઈ આશ્ચર્ય નથી ! - આ અષ્ટ પ્રાતિહાર્યનું સ્વરૂપ સંક્ષેપમાં કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ પણ શ્રી વીતરાગ તેત્રમાં બતાવ્યું છે, તેને પણ પ્રસંગોપાત્ત અહીં મૂળ કલેક અને તેના અર્થ સહિત જણાવવામાં આવે છે.
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy