SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ અકાળે મોતને શરણ થવું ન પડે તે માટે પ્રભુની અક્ષત પૂજા જ્ઞાની ભગવંતોએ દર્શાવી છે. અક્ષત જેમ વેત અને અખંડ હોય છે, તેમ શ્રી જિનેશ્વરદેવની અક્ષતપૂજાના અધ્યવસાયથી આત્મા અક્ષય અને અનંત એવા સિદ્ધિપદની પ્રાપ્તિ કરે છે. (૭) નૈવેદ્યપૂજાને હેતુ અને તેનું ફળ જગતના એના એ જ પુગલે જુદા જુદા પર્યાયને પામીને જેના ઉપભેગમાં આવે છે, એટલે કે સિદ્ધ પરમાત્માએ જે પુદ્ગલનો ભેગવટે કરીને એઠ રૂપે છોડી ગયા છે તે જ ઉચ્છિષ્ટ જેવા રૂપાંતર પામેલા પુદુગલોમાં આપણે આનંદ માનીએ છીએ. હવે તેમાંથી છૂટીને અણહારી પદની પ્રાપ્તિ કરવી હોય તે પ્રભુની નૈવેદ્યપૂજા ભાવથી કરો. જેમ શ્રી જિનેશ્વર દે આહારની મૂછીને ત્યાગ કરી અણાહારી તથા અવેદીપદને પામ્યા છે, તેમ નૈવેદ્ય વડે શ્રી જિનેશ્વરદેવની પૂજા કરનારે આત્મા પણ નિરાહારી અને નિદી પદને પ્રાપ્ત કરનાર બને છે. (૮) ફળપૂજાને હેતુ અને તેનું ફળ જેમ કિપાકફળના સ્વાદમાં લાલચુ બની તેનું આસ્વાદન કરનાર આત્માના પ્રાણ ચાલ્યા જાય છે, તેવી જ રીતે દેવ, દેવેન્દ્ર કે ચક્રવતીનાં સુખે પણ અંતે કિપાકફળ
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy