________________
મળતું નથી. ઉંચું જોવાની ગમ પણ પડતી નથી. પરંતુ જેમ અગ્નિમાં ધૂપ નાંખવાથી ધૂમાડો ઉત્પન્ન થઈને ઉંચે ચડે છે, તેમ શ્રી જિનેશ્વરદેવની ધૂપપૂજામાં કર્મ રૂપી કાષ્ટને બાળવા માટે ધ્યાનરૂપી અગ્નિમાં શુભ ભાવનારૂપી ધૂપ પડવાથી ગુણરૂપી સુગંધ પ્રગટે છે અને આત્મા કર્મના ભારથી હળ થઈ ઉર્વગતિને પ્રાપ્ત કરે છે.
(૫) દીપક પૂજાને હેતુ અને તેનું ફળ
આપણે આત્મા શક્તિથી અનંત જ્ઞાનને પણ હેવા છતાં વર્તમાનમાં તે પિતાની પીઠ પાછળ શું છે તેને પણ જાણી-દેખી શકતું નથી. અને ભયંકર અજ્ઞાનરૂપી અંધકારમાં “ધો કપ ઘૂટાચ” એ ન્યાયે જેમ એક આંધળે બીજા આંધળાની પાછળ અથડાય તેમ અથડાયા કરે છે. પ્રભુની દીપકપૂજા એ અંધાપાને દૂર કરી આત્માને પ્રકાશિત કરે છે.
દીપક જેમ બાહ્ય અંધકારને દૂર કરે છે, તેમ શ્રી જિનેશ્વરદેવની દીપક પૂજા અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરે છે, એ અહીં તાત્પર્ય છે.
(૬) અક્ષતપૂજાને હેતુ અને તેનું ફળ| વિજળીના ઝબકારા જેવી તથા પાણીના પરપોટા જેવી ચંચળ અને અસ્થિર લમીની લાલસામાં અમૂલ્ય માનવભવને ગુમાવી ભયંકર સંસારસાગરમાં અનંત કાળ રખડી