________________
શ્રી તીર્થકરની ભક્તિનું અચિંત્ય સામર્થ્ય
શ્રી તીર્થકરની ભક્તિ કરવાથી, (૧) કરોડો તપનું ફળ મળે છે. (૨) સર્વ કામનાઓ સિદ્ધ થાય છે. (૩) જિહ્વા અને જન્મ સફળ થાય છે. (૪) કષ્ટ અને વિદને ટળે છે. (૫) મંગલ અને કલ્યાણની પરંપરા મળે છે. (૬) મહિમા અને મોટાઈ વધે છે. (૭) પ્રત્યેક સ્થાને સુયશ અને મહેદય થાય છે. (૮) દુનેનું ચિંતવેલું નિષ્ફળ જાય છે. () યશ કીર્તિ અને બહુમાન વધે છે. (૧૦) આનંદ વિલાય, સુખ, લીલા અને લક્ષમી મળે છે. (૧૧) ભવજલતરણ, શિવસુખમિલન અને આત્માદ્ધાર કરણ સુલભ થાય છે.
(૧૨) દુર્ગતિના દ્વારનું રોકાણ અને અદ્દગતિના દ્વારનું ઉઘાટન થાય છે,