________________
હોય, પાંચેય ઈન્દ્રિયોથી પેદા થતી વાસનાને બાળીને ખાખ બનાવવી હોય, તો પ્રતિદિન મનને સ્વાધ્યાય-સુધાના પાનથી તરબતર-તરબોળ રાખવું એ જ ઉચિત છે.
શાસ્ત્રોમાં પૂર્વમહર્ષિઓના આયુષ્યો ક્રોડો વર્ષોનાં દર્શાવ્યા છે. રાજાઓ-મહારાજાઓ રાજ્યને તૃણની જેમ અસાર સમજીને ત્યાગ કરતાં હતાં, ધનાઢ્યો અઢળક ઋદ્ધિ-સિદ્ધિનો બળતા ઘરની જેમ ત્યાગ કરીને સંયમ-પંથના પ્રવાસી બનતા હતા, અન્યો સ્વમાનેલી સર્વ વ્યામોહજનક વસ્તુઓને તરછોડીને નિર્ગસ્થ બનતા હતા એ અબ્બો વર્ષો પર્યત સંયમને શુદ્ધ પાલન કરતા હતા. એટલો દીર્ધકાલ તેઓના પરિણામની વિશુદ્ધિ, મનની દૃઢતા અને ભાવોલ્લાસની પવિત્રતા માત્ર સ્વાધ્યાય જ ટકાવી રાખતો હતો,-એમ શાસ્ત્રાભ્યાસના અનુભવથી સ્પષ્ટ જણાય છે. સંસાર તરવાની ભાવનાવાળા ભવ્ય જીવોએ સ્વાધ્યાયનો રસ લખલૂટ લુંટવો જ જોઈએ. અતૂટ ભાવનાથી સંયમ સ્થિરીકરણ કરવા માટે સ્વાધ્યાય-સુધાસાગરમાં મગ્ન-લીન રહેવું જ જોઈએ. જેમ નવપરણિત તરૂણને
નવવધૂનું સૌન્દર્ય-લાવણ્ય-વચન-વિલાસો રૂપ અને રંગ પ્રતિક્ષા ચિત્તભૂમિ ઉપર સ્મરણ થયા જ કરે છે, તેમ સંયમ પામનાર પવિત્ર ત્યાગી પુરુષોના હૃદયપટ ઉપર શાસ્ત્રસ્વાધ્યાય, તેના વિષયો, તેનું પરિણામ અને ચિંત્વન પ્રતિક્ષણ રમતું રહેવું જ જોઈએ. પરિણામે તે સંયમી નિરતિચાર સંયમનું પવિત્ર પાલન કરીને, કર્મવનને બાળીને અને મોક્ષપદને જલ્દી મેળવીને, આત્યંતિક અને એકાન્તિક સુખનો શાશ્વત ભોક્તા બને છે.
શ્રી સર્વજ્ઞભગવંતોએ નિર્મલ કેવલજ્ઞાન દ્વારા વિશ્વરભરના જંતુ ઓને સત્ય પરિપૂર્ણ અને અનંત જ્ઞાન દર્શાવ્યું છે, તેમ જ તે જ્ઞાન શ્રી ગણધર ભગવંતોએ સ્વસ્મૃતિમાં અંકિત કરીને સૂત્ર-આગમરૂપે ગુંચ્યું છે. ચરમ તીર્થપતિ શ્રી મહાવીર ભગવાનનું અગાધજ્ઞાન આજે જે આગમોમાં મળે છે, તે શ્રી ગણધર ભગવાનોએ પરમ કૃપાથી શાસ્ત્રોમાં યોજેલું તે જ છે. શ્રી