________________
૧૨] સ્થાનાંગસૂત્ર
વ્યાખ્યાન પ્રતિજ્ઞા વિનાનું બધું નકામું અવિરતિના પ્રતાપે કઈ સ્થિતિ થાય? જગતમાં સાક્ષીના પાંજરામાં ઊભા રહેલો મનુષ્ય સત્ય બલવાની પ્રતિજ્ઞા કરે નહિ ત્યાં સુધી શિરસ્તેદાર તેની વતીની એક લીટી લખે નહિ. પ્રતિજ્ઞા કરે ત્યારે લખે. પ્રતિજ્ઞા વગર સાચું, સાચામાં સાચું. તદ્દન સાચું, સાચા વિના બીજું કાંઈ બોલતો ન હોય તે પણ શિરસ્તેદારની કલમ પ્રતિજ્ઞા કર્યા પછી જ નેધ લે. જગતના જીવોને દ્રોહ કરનારા ન હોય પણ દેહ ન કરે એવી પ્રતિજ્ઞા ન કરે ત્યાં સુધી તે કિંમતમાં આવતા નથી. પ્રતિજ્ઞા કર્યા વગરનું એક પણ વાકય શિરસ્તેદારના દતરમાં દાખલ થાય નહિ. સર્વ જીવા સર્વ જીવોના દ્રોહ કરનારા હતા નથી. સૂક્ષ્મ એકેંદ્રિય કેઈને મારતા નથી. એમ કહીએ તે ચાલે કે સિહમહારાજની સ્થિતિમાં છે. સિહમહારાજ બીજાની હિંસા કરી પોતે કર્મ બાંધે નહિ, તેમ પોતાની હિંસાનું કામ બીજાને બંધાવે નહિ. તેમ સૂક્ષ્મ એકે દ્રિય ન કોઈને એ મારે, ન કોઈ એને મારે. સૂક્ષ્મ એકેદ્રિય જીવ હિંસામાંથી બચી જાય છે. ચૌદમા ગુણઠાણાવાળાના પુદ્ગલથી હિંસા થઈ જાય. હિંસાના નિમિત્તપણુમાંથી અગિ–કેવલી બચી શકતો નથી. તેમાંથી સૂક્ષ્મ એકે ક્રિય બચે છે. વરાળ ઘડાને રોકતી નથી, ઘડે વરાળને રોકતો નથી. વરાળ ન રોકી રહે, ન કિનારી બને. શાને લીધે ? બારીક છે. કાચમાંથી તે જ પસાર થાય, તેજ કાચને રોકનાર બને નહિ, કાચ તેજથી રોકાય નહિ. કાચ અને તેજ પુદ્ગલ છે છતાં તેના પુદગલે એટલાં બધાં બારીક છે કે જેને લીધે તે કાચને રોકતા નથી, કાચથી રોકાતા નથી. બાકરથી સૂક્ષ્મ એકે દિલ છ રેકાતા નથી. બાદરને રોકે નહિ, કાચે તેજને કટકે કર્યો એમ કોણ માને? તે જે કાચ ભાંગ્યા તેય બની શકે નહિ. નથી સમે બારીકથી મરતા, તેમ બારીકને મારતા. આવા સમે મહા દયાળુ થઈ જાય, કહે કે સાધુ કરતા વહેલા મોક્ષે જાય અને હિંસાનું કારણ ન બને પણ ઘાતના પચ્ચકખાણ હોય તો. પ્રતિજ્ઞાવિનાનું બધું નકામું.