SearchBrowseAboutContactDonate
Page Preview
Page 804
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ ] સ્થાનમસૂત્ર | [ વ્યાખ્યાન મેલીએ ત્યાં શું પગાર આપે છે? ઘરનું ખાવું ને નેકરી કરવી. પૈસે કમાણે નહિ પણ પરાક્રમ તો કેળવશે. પરાક્રમ કેળવવાની જગે પર જન્મ, જરા, શોક, મરણ ઈષ્ટ, અનિષ્ટ સંગેનાં ખાસડાં ખાવાના હેય નહિ. એકલા ખાસડાં ખાવાના તે દુકાને કે બેસે! એક જ જાય, જેના માબાપનું ભાન ઠેકાણે ન હેય તે. આ આત્માનું ભાન ઠેકાણે ન હતું. કર્મરાજાની દુકાને બુદ્ધિરૂપી બેટાને બેસાય. મળવાનું કઈ નહિ, ખાસડાં ખાવાના. સમજે તે પળવાર છોકરાને એ દુકાને રખાય નહિ. સાવચેત થયેલ એવી દુકાને રહે નહિ, તે પછી સાવચેત થયેલે આત્મા કર્મરાજાના કલાલની દુકાને કેમ બેસે ? કર્મકલાલના કેવા કાવતરાં એ માલમ પડે, ફરતાં ધ્યાનમાં આવે, ખબર પડે તો પ્રથમ કલાલનું ઘર ઉખેડે. સીંચાણ હાથીએ તાપસના ઝૂંપડી ઉખેળ્યા. બંધાયેલો હતો ત્યારે મહેણું માર્યા હતા, તેથી છૂટે કે તાપના સૂપડાં સાફ, પિતાને થયેલી પીડાનું સ્થાન જે વખત પિતાને ખ્યાલમાં આવે તે વખતે પહેલું પાદર તે એ થાય. સમકિતવાળાને ખ્યાલમાં આવે કે પીડા ભોગવવી પડી તે કમને લીધે. કર્મની દુકાન ફેંકવા માટે દરેક ગણધર ચૌદ પૂર્વે અને બાર અંગની રચના કરે છે. કર્મની ક્રૂરતાને ખ્યાલ છે. બીજી બાજુ મિથ્યાત્વ, અવિરતિને લીધે થયેલી માત્માની હેરાનગતિને ખ્યાલ છે, તેથી ચૌદ પૂર્વ અને બાર અંગ કેમ ન રચે ? એક જ નમીરાને લીધે આખું કુટુંબ પોષાય આચારપ્રધાન આચારાંગ અને વિચાપ્રધાન સૂયગડાંગ રચ્યું. વર્ગીકરણની દૃષ્ટિએ ઠાણાંગજીની રચના કરી પાંચમા ઠાણામાં પાંચ મહાવતે જણાવતાં કહી દીધું કે ખરેખર મહાવ્રત હોય તો તે એક જ છે. એક જ નબીરો હોય તેને લીધે આખું કુટુંબ પિવાય. તીર્થકરને લીધે તીર્થકરની માતાએ દિના નમસ્કાર પામે, નહિ તે તીર્થકરની માતામાં શું જ્ઞાન, દર્શન અને ચારિત્રનો નિયમ છે? કશે નથી. આવેલાં સ્વપ્નનું ફળ પણ જાણવાની તાકાત નથી.
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy