________________
એ ત્રીસમું ] સ્થાનાંગસૂત્ર
[ ૧૧૩ પણ વસ્તુસ્થિતિએ જ્ઞાન ઓછું હોય, અભિરુચિવાળા હેય. કારણ કે બીજાને અનુસરે તે જ્ઞાન મેળવી શકે છે. પોતે ચોકસી, ઝવેરી ન હોય તે ચોકસીને, ઝવેરીને દેખાડીને હીરામોતીની પરીક્ષા કરાવી લે. પારકા ઘેર રહેલાં હીરામોતી, સોનાથી કામ લેવાય છે? ઝવેરીપણાને ફાયદે ઝવેરી ન હોય તે પણ મેળવી શકે, પણ માલ વગરને ફાયદો મેળવી શકે નહિ ફાયદો મેળવવા માટે પિતાને જ માલ જોઈએ. થોડા જ્ઞાનવાળો હોય પણ તેને જ્ઞાનની અભિલાષા હય, જ્ઞાનીનું બહુમાન હેય તે કલ્યાણ સાધી શકે. ક્રિયા ન હોય, તે પાપમાં પ્રવેલે કાંઈ કામ કરી શકે નહિ. જે કાર્ય કરે છે તે બધા પારકી ક્રિયાથી કાર્ય કરે છે? જ્ઞાન ભાડૂતી કામ લાગે પણ ક્રિય ભાડતી કામ લાગે નહિ
સમ્યકત્વ થાય ત્યારે વીતરાગદેવની શ્રદ્ધા કરે. સમ્યકૂવ પામ્યા તેનામાં વીતરાગને છાંટો નથી. વીતરાગના આલંબનથી એમાંરાગદ્વેષમાં ભરપૂર ભલે વીતરાગ થવાને, મહાવ્રતધારીની સેવાઆલંબનથી તે મહાત્રાને લાવવાને. જેને સમ્યક્ત થયું તેને વધારેમાં વધારે અર્ધ પગલપરાવર્તની અંદર વીતરાગપણું આવવાનું. અગીતાર્થ છતાં ગીતાર્થની નિશ્રામાં રહે તે સાધુપણું ખરું. મોક્ષ થયા પહેલાં તે જ્ઞાન થવાનું જ છે. ક્રિયા મોક્ષે જવા પહેલાં પણ ઘરની જ ક્રિયા અત્યારે ભાડૂતી કામ લાગતી નથી; જ્ઞાન ભાડુતી કામ લાગે છે. ક્રિયામાં ભાડૂતી અંશ પણ નથી.
કિયા આવ્યા વિના ફળ થવાનું નહિ અવિરતિ સમગ્દષ્ટિ ગુણઠાણે કઈ ક્રિયા? કશી નહિ, પણ તેને ખુદ કિયા લાવી દેનાર ભાડૂતી ક્રિયા. કેમ? વીતરાગની શ્રદ્ધા એ જ એને વીતરાગ બનાવશે, મહાવ્રતધારીની શ્રદ્ધા એ જ એને મહાવ્રતધારી બનાવશે. જ્ઞાન ફળ દ્વારાએ આવી શકે. તેમ ક્રિયા પણ અનુમદિના ધારાએ આવી શકે. ક્રિયાનું કામ આશ્રવતું રોકવું. ક્રિયા આવે ત્યારે આબવનું રોકવું થાય. ક્રિયા ભલે અનુમોદનાથી ભાડૂતી આવી જાય.