________________
૩૬
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન સૂંઠ, મરીના ઉકાળા. કારણકે જે દરદી તેવી દવા. આરંભ, પરિગ્રહના ત્યાગ માટે આરંભીને વધારે દેરવાની જરૂર છે. સાધુ સર્વ સાવદ્યથી વિરમેલા છે. સંયમની અપેક્ષાએ તીર્થકરના પગ આગળ આવી રહેલા છે. અધિકારીને અંગે વિધિ, ને નિષેધ રાખવામાં આવેલા છે. તેમ અર્થ અને કામનાં અધિકારીને અંગે વિધિ ને નિષેધ રાખે. તેમ ચાર પુરૂષાર્થમાં વિભાગ કરી લે. કેટલીક બાબત વાતમાં સુંદર હેય પણ પરિણામમાં ભયંકર હેય. વાણિયે ને મિયાં
વાણિયે ઉઘરાણીએ જાય. કાંઈ પત્યું નહિ ત્યારે અકળાયે. મિયાં કહે: શેડજી કેમ અધીરા થઈ ગયા છે? કેમ અધીરા ન થાય? મિયાં કહેઃ જલદી દઈશ. સરકારે સરવે (survey) કરી છે ને સડક બાંધવાના છે ત્યાં બાવળ વાવીશ. સડકે કપાસનાં ગાડાં જશે, તેનું રૂ બાવળે લાગશે. તે વખતે બધાં છોકરાને બેસાડી દઈશ ને તે રૂ વણી લેશે. એટલે જલદી રકમ વસૂલ થઈ જશે. આમ શબ્દની સુંદરતા હોય છે, પણ પરિણામમાં મીંડું. અર્થ-કામ ઉપાદેય નથી
અધિકારીને અંગે અર્થ, કામની હેયતા-ઉપાદેયતા રાખે. આ સવાલ દેખાવમાં સુંદર લાગે છે. જેને સંસાર “સોહાગી માનવે છે, બાયડી છોકરામાં મેજે માનવી છે તેને સંસાર નીરસ લાગે? તેવાને અર્થ-કામ કરવાં છે, પણ હેયપણું માનવું નથી. સાધુને તે અર્થ-કામ છેડવા લાયક જ છે.
પ્રશ્ન-આશ્રવની અંદર, અવ્રત–આશ્રવ ગણવે કે નહિ? પાંચ અવ્રત જીવમાત્રને અંગે કે ત્યાગીને અંગે આશ્રવ? ગૃહસ્થ અઢારે વાટે છૂટે હોય તે તેને મિથુનનું, પરિગ્રહનું પાપ તે બંધાય છે, તે તેને આદરવા લાયક કેમ કરીને ગણાય?