SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર – ભાગ ૧ લે. સ્વમેવ એટલે પોતે કીધાં જે કમ તેણે કરી અવગાહે એટલે નરકાદિક સ્થાનક દુ:ખના હેતુ ઉપચય કરે, તે અશુભ વિપાક થકી ન મુકાય; અણફરો એટલે તે બાંધેલાં કર્મ ભેગાવ્યા વિના છુટે નહી ૪ હવે સર્વ સ્થાનનું અનિત્યપણું દેખાડે છે. દેવતા તે તિષિ સંધર્માદિક તથા ગાંધર્વ રાક્ષસ એટલે વ્યંતર દેવ કહ્યા, તથા દશ પ્રકારના ભુવનપતિ તથા ભુમિચદિક તે મને નુષાદિક જાણવા, અને સરિસૃપ એટલે સર્પાદિક ત્રિયંચ જાણ વા; તથા રાજા ચક્રવર્યાદિક અને સામાન્ય મનુષ્ય, શ્રેષ્ટિને નગરમાંહે મેહટા, બ્રાહ્મણ એટલા સર્વ પિતા પોતાના સ્થાનને પોતે દુખિયા થયા થકા છાંડે છે. એટલે સર્વ પ્રાણી માત્રને અંતકાળે દુ:ખ ઉપજે છે. ઇત્યર્થ. | ૫ | વળી તેહિજ ભાવ કહે છે. કામ તે વિષયાદિક ભેગ અને સંતવતે માતાપિતાદિક તથા સ્વસુર વગાદિક તેને પરિચય, તેણે કરી આસક્ત છત કાળે કર્મવિપાકે એટલે ભોગવવાને પ્ર સ્તાવે છવ કર્મને સહન કરનાર થાય, એટલે વિષયાસક્ત - નુષ્યને આગમિક કાલે દુઃખજ થાય, પરંતુ તે જીવને કામ, ભેગ તથા સ્વજન એ સર્વ દુ:ખ થકી રાખનાર નથી. જેમ તાલ વૃક્ષનું ફળ તે બીટ થકી છૂટે તે વારે અવશ્ય પડે, એમ જીવ, જે છે તે આયુષ્યનો ક્ષય થકી જે વારે વિનાશ પામે તે વારે તેને કેઈ છવાડી શકે નહીં. | ૬ | બહુશ્રુત એટલે શાસ્ત્રના પારગામી હોય તથા ધામક એટલે ધર્મના કરનાર હોય તથા બ્રાહ્મણ અને ભિક્ષુક એટલે ભિક્ષા અટનશીલ એવા હેય; તે પણ માયાયેકરી કીધાં એવાં જે કર્મ તેને વિષે છત છતાં તીવ્ર એટલે આકરા એવા કર્મ તેણે કરી પીડાય; એટલે સારે અથવા નરસે કઈપણ જીવું
SR No.023494
Book TitleSuyagadanga Sutra Bhashantar Part 01
Original Sutra AuthorN/A
AuthorTribhovandas Rugnathdas Shah
PublisherTribhovandas Rugnathdas Shah
Publication Year1899
Total Pages210
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sutrakritang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy